વગર ચોમાસે ડેમના દરવાજા ખોલાતાં નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે. આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં વર્તુ-2 ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડેમની નીચાણવાળા વિસ્તારમાં આવતા દ્વારકા તથા પોરબંદર જિલ્લાના 14 ગામને એલર્ટ કરાયા છે. અહીંના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ ન જવા અને પશુઓને પણ ન લઈ જવા સૂચના અપાઈ છે. 32 દરવાજા ધરાવતા વર્તુ-2 ડેમમાં જરૂરી સમારકામ કરવાનું હોવાથી પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે.
Source link
