રશિયાનો પ્રવાસ કરી શકે શકે છે PM મોદી, રશિયન વિદેશ મંત્રીએ કહ્યું- અમે 2026 માં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા આતુર છીએ

રશિયાનો પ્રવાસ કરી શકે શકે છે PM મોદી, રશિયન વિદેશ મંત્રીએ કહ્યું- અમે 2026 માં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા આતુર છીએ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતમાં રશિયાનો પ્રવાસ કરી શકે છે. રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે સોમવારે આ માહિતી શેર કરી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા એક કાર્યક્રમને સંબોધતા લાવરોવે જણાવ્યું, “અમે 2026 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં સ્વાગત કરવા આતુર છીએ.” વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે ટિપ્પણી કરી કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો એક એવી મિત્રતા પર આધારિત છે જે સમયની કસોટી પર ખરી ઉતરી છે.

ડિસેમ્બર 2025 માં પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા

વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા સમાનતા, પરસ્પર વિશ્વાસ, આદર અને એકબીજાના હિતોના આદર પર આધારિત છે. તેમણે નોંધ્યું હતું કે 2025 ના અંતમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન પણ કહ્યું હતું. લાવરોવે કહ્યું, “ડિસેમ્બર 2025 માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પછી રશિયા અને ભારતના વ્યૂહાત્મક ઉદ્દેશ્યોના તાલમેલની પુષ્ટિ આપવામાં આવી હતી, અને નીતિ પત્રો સહિત ઘણા મુખ્ય દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.”

ભારત અને રશિયા વચ્ચે મજબૂત આર્થિક સહયોગ: વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવ

વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે પણ બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક સહયોગ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે 2025 માં દ્વિપક્ષીય વેપાર આશરે $60 બિલિયન સુધી પહોંચ્યો હતો. તેમણે કહ્યું, “આપણા નેતાઓએ 2030 સુધીમાં આ આંકડો વધારીને $100 બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. બંને દેશો લોજિસ્ટિક્સ, ટેકનોલોજી અને રોકાણના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવશે. જેમાં આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર અને ઉત્તરીય સમુદ્રી માર્ગનો વિકાસનો સમાવેશ થાય છે. આજની તારીખે બંને રાષ્ટ્રો વચ્ચે 96 ટકા વેપાર તેમના સંબંધિત રાષ્ટ્રીય ચલણોમાં થઈ રહ્યો છે.” 

‘હવે યુદ્ધ નહીં થાય’, ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો- ઈરાન તરફથી આવ્યો વાતચીતનો ફોન

ભારતના વૈશ્વિક સ્થાનની પ્રશંસા કરતા વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે જણાવ્યું હતું કે,” ભારત માટે વ્યૂહાત્મક સ્વાયત્તતા તરફ આગળ વધતાં – સ્વતંત્ર વિદેશ નીતિને મજબૂતીથી અનુસરવી અને તેના રાષ્ટ્રીય હિતોને સતત પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે ઉભરતા બહુધ્રુવીય વિશ્વમાં ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. ભારત પોતાને એક મુખ્ય વૈશ્વિક રાજકીય અને આર્થિક કેન્દ્ર, એક વિશિષ્ટ સભ્યતા અને 21મી સદીની એક મહાન શક્તિ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *