મહારાષ્ટ્રની ચૂંટણીમાં NCPની ખરાબ હાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવી દીધી આગળની રણનીતિ

મહારાષ્ટ્રની ચૂંટણીમાં NCPની ખરાબ હાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જણાવી દીધી આગળની રણનીતિ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:


મહારાષ્ટ્ર મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધનને પ્રચંડ જીત મળી છે. જ્યારે અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અજિત પવારે પાર્ટીની ખરાબ હાર, આગળની રણનીતિ, ભાજપની સફળતા અને EVMને લઈને ઉઠતા સવાલો પર ખુલ્લીને વાત કરી છે.

અજિત પવારે જણાવી રણનીતિ
અજિત પવારે જણાવી રણનીતિ

મહારાષ્ટ્ર મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને તેના ગઠબંધનને પ્રચંડ જીત મળી છે. જ્યારે અજિત પવારની NCPને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ તેમણે પાર્ટીની ખરાબ હાર, આગળની રણનીતિ, ભાજપની સફળતા અને EVMને લઈને ઉઠતા સવાલો પર ખુલ્લીને વાત કરી છે. તેમણે એ સંકેત પણ આપ્યો છે કે ચૂંટણીમાં હાર થઈ હોવા છતાં તેઓ પાછળ હટશે નહીં અને સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ ચાલું રાખશે.

અજિત પવારે EVMને લઈને કહ્યું કે, મારે આ વિશે કંઈ કહેવું નથી. ઘણીવાર ચૂંટણીમાં પરાજય થયા બાદ આવા આરોપ લગાવવામાં આવે છે. કદાચ કોઈ એક ઉમેદવાર બોલી રહ્યો હોય, પરંતુ 29 મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ અને હજારો લોકો ઉભા હતા. આ લોકશાહી છે અને સમાચાર માધ્યમોને પોતાની વાત રાખવાનો અધિકાર છે.

ભાજપની જીત પર તેમણે કહ્યું કે, લોકશાહીમાં મતદાર જ રાજા હોય છે. રાજકીય પક્ષોનું કામ માત્ર પ્રયાસ કરવાનું હોય છે. ભાજપને જે શાનદાર સફળતા મળી છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીને દિલથી અભિનંદન આપું છું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે આ ચૂંટણી લડી અને તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, જ્યારે અન્યોએ હારનો સામનો કરવો પડ્યો.

ચૂંટણીમાં પરાજય પર શું બોલ્યા?

આ દરમિયાન તેમણે આ ચૂંટણીમાં હાર અને ભવિષ્યની રણનીતિને લઈને પણ વાત કરી. તેમણે કહ્યું કે હાર થઈ છે, પરંતુ મારું ગણિત સ્પષ્ટ છે – હારથી ક્યારેય હાર માનીને બેસવું નહીં, પરંતુ પોતાનું કામ ચાલુ રાખવું. હજુ પરિણામોને 24 કલાક પણ નથી થયા, સવારે 3 વાગ્યા સુધી તો પરિણામો જ આવી રહ્યા હતા. અમે બેઠક કરીશું, ચર્ચા કરીશું. અમારો અંદાજ ખોટો પડ્યો, જેમ મીડિયાના પણ ઘણા અંદાજ ખોટા પડ્યા.

29 મહાનગરપાલિકાઓની ચૂંટણી

મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામો સામે આવી ગયા છે. આ ચૂંટણીઓમાં મહાયુતિમાં સામેલ ભાજપ અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને શાનદાર સફળતા મળી છે, પરંતુ આ ચૂંટણી નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમની પાર્ટી માટે ખરાબ આઘાતથી ઓછી નથી. એનસીપીનો ગઢ માનવામાં આવતા પિંપરી-ચિંચવડમાં પણ તમામ પ્રયાસો છતાં તેમને ભારે ઝટકો લાગ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *