જીવનશૈલી | જ્યારે સ્વસ્થ ખાવાની આદતોની વાત આવે છે, ત્યારે આજે ઘણા લોકો મોંઘા વિદેશી ફળો પસંદ કરે છે જે સુપર ફૂડ્સના લેબલ હેઠળ વેચાય છે. ઓટમીલ અને સલાડમાં બ્લૂબેરી (blueberries) અને અન્ય વિદેશી ફળો ઉમેરવાનું આજે એક લક્ઝરી બની ગયું છે.
આપણા દેશમાં 100 રૂપિયામાં સરળતાથી જામફળ મળી રહે છે, જયારે વિદેશી બ્લૂબેરી આશરે 2,000 રૂપિયાની કિલો મળે છે, આ બન્ને માંથી હેલ્ધી ફ્રૂટ ક્યુ? મુંબઈના ઓર્થોપેડિક સર્જન ડૉ. મનન વોરા જણાવે છે.
જામફળ લોકપ્રિય કેમ છે?
ડૉ. વોરા આપણને યાદ અપાવે છે કે ખોરાકની ક્વોલિટી તેની કિંમતથી નહીં, પરંતુ તેમાં રહેલા પોષક તત્વોથી નક્કી થાય છે. જામફળ બ્લૂબેરી કરતાં વધુ સારું કેમ બને છે તેની પાછળ કેટલાક પરિબળો છે. જામફળમાં બ્લૂબેરી કરતાં 20 ગણું વધુ વિટામિન સી હોય છે. આ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સ્કિનના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.
જામફળમાં બ્લુબેરી કરતા બમણા કરતા વધુ ફાઇબર હોય છે. આ પાચનમાં સુધારો કરવામાં અને કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. તે પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે. તેથી, જ્યારે તેનું સેવન કરવામાં આવે છે, ત્યારે તે બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો કરતું નથી. ડાયાબિટીસના દર્દીઓ અને વજન ઘટાડવા માંગતા લોકો માટે તે એક શ્રેષ્ઠ પસંદગી છે.
હાઈપોગ્લાયકેમિઆ શું છે? લોહીમાં બ્લડ સુગર લેવલ ઘટે છે?
બ્લુબેરીના ફાયદા
જોકે આનો અર્થ એ નથી કે બ્લૂબેરી ખરાબ છે. બ્લૂબેરીમાં એન્થોસાયનિન નામના એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય અને મગજના કાર્યમાં મદદ કરે છે. આ શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
ડૉક્ટર કહે છે કે “આપણું શરીર ખોરાકની કિંમત જાણતું નથી, તે ફક્ત પોષક તત્વો જાણે છે. વિદેશથી આયાત કરેલા મોંઘા ફળો કરતાં આપણી આસપાસ ઉપલબ્ધ સ્થાનિક ફળો ખાવા શરીર માટે વધુ સારું છે. તેથી, ફળો ખરીદતી વખતે પૈસા બગાડો નહીં, અને પોષક તત્વોથી ભરપૂર આપણા પોતાના ફળો ખરીદો. તમારું પાચનતંત્ર અને તમારું ખિસ્સું બંનેનો આભાર માનશે.
