INDIA Alliance : કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી. વિજયને કહ્યું કે રાહુલ ગાંધીના રાજકીય વલણથી ઇન્ડિયા (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) ગઠબંધન મજબૂત થતું નથી અને તેનાથી ભાજપને ફાયદો થાય છે.
અહેવાલો અનુસાર ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેરળમાં રાજકીય પ્રતિસ્પર્ધાના કારણે તેઓ વિજયનને ગળે લગાવશે નહીં.
રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા પૂર્વ મુખ્યમંત્રી વિજયને કહ્યું કે કોણ કોને ગળે લગાવે છે તેનો તેમને કોઇ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે આપણે બધાએ રાહુલ ગાંધીની નરેન્દ્ર મોદીને ગળે લગાવતી તસવીર જોઈ છે. મને મોદીને ગળે લગાવવા સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમની (રાહુલ ગાંધીની) ટિપ્પણી એક ચોક્કસ રાજકીય સંદેશ આપે છે. આ રાહુલ ગાંધીની દ્રષ્ટિ અને ઇન્ડિયા ગઠબંધન પ્રત્યેનો તેમનો અભિગમ દર્શાવે છે.
ભાજપને ફાયદો થાય છે – પિનરાઈ વિજયન
વિજયને કહ્યું કે લોકો જોઈ શકે છે કે ડીએમકે હવે શું સ્થિતિમાં છે. હાલની પરિસ્થિતિ કોંગ્રેસ, ખાસ કરીને રાહુલ ગાંધીના વલણને કારણે છે. વાસ્તવિકતા એ છે કે આ વલણ ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવતું નથી. જેમ કે મેં પહેલા પણ કહ્યું છે કે તેનાથી ઘણીવાર ભાજપને ફાયદો થાય છે. આવા પગલાથી રાહુલ ગાંધી એવી સ્થિતિ ઊભી કરી રહ્યા છે કે જેમાં તેઓ વાસ્તવમાં ભાજપના હિતોને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના ભારતીય જહાજો પર હુમલાના આરોપનો ઈરાને આપ્યો જવાબ, કહ્યું – આરોપ સાવ ખોટા
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના વરિષ્ઠ નેતા વિજયને કહ્યું કે માત્ર અમે જ નહીં પરંતુ અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવ જેવા નેતાઓ અને અન્ય મોટા પક્ષો (કોંગ્રેસ સિવાય) પણ બેઠક દરમિયાન વાંધો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસના વલણ વિરુદ્ધ વાત કરી હતી.
કેરળમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વિજયન અને રાહુલ બંનેએ પોતાના ભાષણોમાં એકબીજાને નિશાન બનાવ્યા હતા.
