યાત્રાધામ દ્વારકા અને શામળાજીમાં ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રાસની રમઝટ સાથે દ્વારકામાં જય દ્વારકાધીશનો નાદ ગૂંજી ઉઠ્યો અને ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. બીજી તરફ શામળાજીમાં પણ ભગવાન શામળીયા અબીલ ગુલાલ રંગે રંગાયા. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ લગાડાયો હતો. મંદિરમાં ભક્તો પર રંગોની છોળો ઉડી હતી.
Source link
