મહાશિવરાત્રીના રોજ નર્મદાના દેવમોગરા ખાતે યાહ મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળો યોજાશે. આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. મેળામાં રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની, શૌચાલયની, રાત્રી રોકાણની, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત અંબાજીથી દાહોદ સુધીના રુટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી
