તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો બાબા રામદેવની આ 4 સલાહ

તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? ફોલો કરો બાબા રામદેવની આ 4 સલાહ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


weight reduction ideas : આજના સમયમાં મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન જોવા મળે છે. ખોટી ડાયેટ, અનિયમિત દિનચર્યા અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે લોકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. ઝડપથી વધતા વજનથી પર્સનાલિટી પર અસર પડે છે, તેમજ તેનાથી ઘણી બીમારીઓનું જોખમ પણ રહે છે.

સ્થૂળતા ઘટાડવા માટે લોકો ડાયેટિંગ, જિમ અને મોંઘા સપ્લિમેન્ટ્સનો આશરો લે છે. જોકે તેનાથી એટલો ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં જો તમે પણ સ્થૂળતા ઘટાડવા માંગો છો, તો તમે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સને અનુસરી શકો છો.

કપાલભાતિ પ્રાણાયામ

બાબા રામદેવના જણાવ્યા અનુસાર વજન ઘટાડવા માટે કપાલભાતિ સૌથી અસરકારક યોગ આસન છે. તેમના જણાવ્યા અનુસાર દરરોજ સવારે ખાલી પેટે 15 થી 20 મિનિટ સુધી કપાલભાતિ કરવાથી શરીરની ચરબી ઝડપથી ઓછી થાય છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે પાચનમાં સુધારો કરે છે.

સવારે ઉઠતાની સાથે જ નવશેકું પાણી પીવો

સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ નવશેકું પાણી પીવું વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. બાબા રામદેવના જણાવ્યા અનુસાર સવારે નવશેકું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે.

જમ્યા પછી વજ્રાસન કરો

જમ્યા પછી વજ્રાસન કરવું વધુ સારું છે. 5 થી 10 મિનિટ સુધી વજ્રાસન કરવાથી પાચનમાં સુધારો થાય છે, જે પેટની ચરબી ઘટાડે છે. વજ્રાસન કરવાથી પેટમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ ઓછી થાય છે.

આ પણ વાંચો – ઉઘાડા પગે ચાલવું વધારે ફાયદાકારક કે શૂઝ પહેરીને? એક્સપર્ટે જણાવ્યું સ્વાસ્થ્ય માટે શું છે બેસ્ટ

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ

બાબા રામદેવના કહેવા મુજબ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. આ શરીરને ડિટોક્સ કરવાની તક આપે છે. તેમના જણાવ્યા અનુસાર ઉપવાસ વજનને નિયંત્રણમાં રાખી શકે છે.

(ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *