અમરેલીના લુંઘિયા ગામમાં એક ખેતરમાં આગ ભભૂકી ઉઠી. દાવા પ્રમાણે PGVCLના વાયરમાં શોર્ટસર્કિટ થતાં તણખાં ખેતરમાં ઘઉંના ઉભા પાક પર પડ્યા અને આગ લાગી ગઈ. ખેડૂતનો આક્ષેપ છે કે PGVCLની બેદરકારીના કારણે તેમના ખેતરમાં તૈયાર થયેલો 10 વીઘાનો ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો છે. પરેશભાઈ આજગીયા નામના ખેડૂત યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી માગ ગામના સરપંચે પણ કરી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ હાર્વેસ્ટર દ્વારા ઘઉંની કાપણીનું કામ ચાલી રહ્યું અને બીજી તરફ આગ લાગી છે. ખેડૂતો ઘઉંના પાકને બચાવવા માટે દોડાદોડી કરતા હોય એવું પણ જોવા મળી રહ્યું છે.
Source link
