જૂનાગઢની ગિરનાર તળેટીમાં આગામી સમયમાં યોજાનારા મિની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા મેળાની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસ માટે કુંડ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Source link
