ઉનાળો હવે ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી 44થી 46 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ વ્યક્ત કરી છે. વામજાએ એવું પણ કહ્યું કે ગરમી વધુ પડવાના કારણે ચોમાસામાં વાવાઝોડાનું પ્રમાણ પણ વધી શકે છે. બે દિવસ પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સૂર્યમાં જોવા મળેલા ડાઘાના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ વાવાઝોડાની સંભાવના વધશે એવું અનુમાન આપ્યું હતું.
Source link
