ખોડાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છો? ડૉક્ટરની સલાહ મુજબ જાણો શું કરવું જોઈએ

ખોડાની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છો? ડૉક્ટરની સલાહ મુજબ જાણો શું કરવું જોઈએ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

વાળમાં ખોડાની સમસ્યાને કારણે લોકોને ઘણી તકલીફ થતી હોય છે. અનેક ઉપચાર કર્યા પછી પણ ઘણી વાર ખોડાથી રાહત નથી મળતી. ત્યારે ડોક્ટરની સલાહ મુજબ જાણો તમારે શું કરવું જોઈએ.

વાળમાં ખોડા કેમ થાય છે જાણો તેનું કારણ (Image: AI Generated)
વાળમાં ખોડા કેમ થાય છે જાણો તેનું કારણ (Picture: AI Generated)

ઘણા બધા લોકોને વાળમાં ખોડાની સમસ્યા રહેતી હોય છે. જેના કારણે ખંજવાળ આવવી, સફેદ પોપડી જામી જવી અને ખભા પર ખોડો પણ દેખાતી હોય છે. ખોડો માત્ર એક કોસ્મેટિક સમસ્યા નથી પરંતુ આ સ્કેલ્પ સાથે જોડાયેલો સંકેત હોઈ શકે છે. ઘણા લોકો મોંઘો શેમ્પૂ, તેલ અને ઘરેલૂ નુસ્ખા અપનાવે છે તેમ છતાં તેમની આ સમસ્યા દૂર નથી થતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા ત્યારે મોટી બની જાય છે જ્યારે તેને સમજ્યા વગર ઈલાજ કરવામાં આવે છે. જેથી પહેલા એ જાણવું જરૂરી છે કે ખોડો કેમ થાય છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં આવેલ GSVM મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડર્મેટોલોજિસ્ટ ડો. યુગલ રાજપુતે ન્યૂઝ 18ને જણાવ્યું કે ખોડાનું સામાન્ય કારણ સ્કેલ્પ પર હાજર ફંગસ હોય છે. જેને મલેસિજિયા કહેવામાં આવે છે. આ ફંગસ દરેક વ્યક્તિના સ્કેલ્પમાં હોય છે જે વધી જાય ત્યારે સ્કિન સેલ્સ ઝડપથી વધવા લાગે છે. પરિણામે ખંજવાળની સમસ્યા સર્જાય છે. વધારે ઓઈલી સ્કેલ્પ, હાર્મોનલ બદલાવ, ઓછી રોગપ્રતિકારક શક્તિ અને ઠંડુ વાતાવરણ આ ફંગસને વધારે છે. જેના કારણે ખોડાની સમસ્યા સર્જાય છે.

ડૉક્ટરે જણાવ્યું કે કેટલાક કેસમાં ખોડાની સમસ્યા કોઈ ગંભીર સ્કિન કન્ડીશન સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. જેમ કે, સેબોરિક ડર્મેટાઇટિસમાં માત્ર સ્કેલ્પ જ નહીં, પણ કાનના પાછળના ભાગ અને નાકની આજુબાજુ લાલાશ અને જાડી પડ પણ દેખાઈ શકે છે. જ્યારે ડ્રાય સ્કેલ્પમાં વધારે સુકાઈ રહે છે, તો સોરાયસિસમાં જાડી સફેદ પડ બની જાય છે. જો ખોડો સાથે ચામડીમાં બળતરા, લાલાશ કે ઘા જેવા લક્ષણો દેખાય, તો તેને અવગણવા ન જોઈએ. આવી સ્થિતિમાં તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તપાસ કરાવવી જોઈએ.

એક્સપર્ટ્સ કહે છે કે ખોડાનો યોગ્ય ઈલાજ તેના કારણ પર આધાર રાખે છે. સામાન્ય રીતે ખોડોથી છુટકારો મેળવવા માટે મેડિકેટેડ એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂની સલાહ આપવામાં આવે છે. આવા શેમ્પૂમાં રહેલા ઘટકો ફંગસને કાબૂમાં રાખે છે અને સ્કેલ્પના પડને ધીમે ધીમે ઓછી કરે છે. શેમ્પૂ લગાવ્યા પછી ઓછામાં ઓછા 3 થી 5 મિનિટ સુધી સ્કેલ્પ પર રહેવા દેવું જરૂરી છે, જેથી તેની યોગ્ય અસર થાય.

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે રોજિંદી કેટલીક આદતો પણ ખોડો વધારી શકે છે અથવા ઘટાડી શકે છે. ખૂબ વધારે તેલ લગાવવું, દરરોજ ગરમ પાણીથી માથું ધોવું અથવા ભીંજાયેલા વાળને લાંબા સમય સુધી બાંધીને રાખવું, ખોડો વધારી શકે છે. એ સિવાય વધારે તણાવ, ઊંઘની ઉણપ અને પોષણની કમી પણ સ્કેલ્પની તંદુરસ્તી બગાડી શકે છે. જો 2-3 અઠવાડિયા સુધી મેડિકેટેડ શેમ્પૂ અને યોગ્ય કાળજી લીધા છતાં પણ ખોડામાં સુધારો ન થાય, તો ડર્મેટોલોજિસ્ટને મળવું જરૂરી છે. ગંભીર કેસમાં ડૉક્ટર એન્ટી-ફંગલ લોશન, સ્ટેરોઇડ સોલ્યુશન અથવા ઓરલ દવાઓ પણ આપી શકે છે. યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટ લેવાથી ખોડાને કાબૂમાં રાખી શકાય છે અને વાળ તથા સ્કેલ્પની તંદુરસ્તી ફરીથી સુધારી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *