ઘણાં લોકો માને છે કે, બિયર પીવાથી પથરી પોતાની રીતે બહાર આવી જાય છે. આ માન્યતા એટલા માટે છે કે, બિયર યૂરિન આઉટપુટ વધારે છે અને માનવામાં આવે છે કે, નાની પથરી બહાર નીકળી શકે છે. પરંતુ હકીકતમાં બિયર માત્ર પેશાબની માત્રાને વધારે છે, પરંતુ તેનાથી પથરી સુરક્ષિત રીતે બહાર નીકળતી નથી. 5 mmની પથરી ઘણીવાર પોતાની રીતે નીકળી જાય છે, પરંતુ મોટા સ્ટોનને જબરદસ્તીથી ખસેડવામાં આવે તો, દુઃખાવો વધી શકે છે. કેટલાક અભ્યાસમાં બિયરને સ્ટોન બનવાના જોખમને ઓછું કરવા સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ તે બચાવ કે સારવાર માટે નથી.

