ઈરાની ડ્રોનથી રશિયાએ યુક્રેનમાં પેસેન્જર ટ્રેન ઉડાવી, 291 મુસાફરો અંદર બેઠા હતા, અનેક ડબ્બામાં આગ લાગી

ઈરાની ડ્રોનથી રશિયાએ યુક્રેનમાં પેસેન્જર ટ્રેન ઉડાવી, 291 મુસાફરો અંદર બેઠા હતા, અનેક ડબ્બામાં આગ લાગી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

યુક્રેનની પેસેન્જર ટ્રેન પર એટેક ત્યારે થયો, જ્યારે તે 291 પેસેન્જરને લઈ બારવિંકોવે-લવિવ-ચાપ માર્ગથી પસાર થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ આ હુમલા માટે ત્રણ શાહેદ ટાઈપ સુસાઈડ ડ્રોન્સનો ઉપયોગ કર્યો હતો.

News18
News18

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે દુનિયાભરની કોશિશ થઈ રહી છે. યુરોપથી લઈને ટ્રમ્પ સુધીના લીડર મથામણ કરી રહ્યા છે, પણ ચાર વર્ષોથી ચાલી રહેલી આ જંગ રોકાવાનું નામ નથી લેતી. બંને દેશ એકબીજા પર વારંવાર ખતરનાક અટેક કરી રહ્યા છે. હાલમાં જ યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં એક ટ્રેન પર હુમલો થયો છે. મંગળવારે 27 જાન્યુઆરી 2026ના રોજ એક પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ બનાવ્યો હતો. 291 માસૂમ જિંદગીઓને લઈને જઈ રહી હતી. કહેવાય છે કે આ હુમલામાં ઈરાનથી લાવવામાં આવેલા ખતરનાક ડ્રોનનો ઉપયોગ થયો હતો.

રશિયાએ યુક્રેનની પેસેન્જર ટ્રેન પર ફેંક્યા ઈરાની ડ્રોન

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનની પેસેન્જર ટ્રેન પર એટેક ત્યારે થયો, જ્યારે તે 291 પેસેન્જરને લઈ બારવિંકોવે-લવિવ-ચાપ માર્ગથી પસાર થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ આ હુમલા માટે ત્રણ શાહેદ ટાઈપ સુસાઈડ ડ્રોન્સનો ઉપયોગ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો એટલો સટીક હતો કે ડ્રોન સીધો લોકોમોટિવ એટલે કે એન્જિનની ઠીક સામે જઈને ફાટ્યો. બીજો એટેક એક પેસેન્જર ડબ્બા પર થયો, જેના કારણે ડબ્બામાં ભીષણ આગ લાગી ગઈ. ત્યાર બાદ ટ્રેનની નજીકના ભાગમાં બ્લાસ્ટ થયો.

291 મુસાફરોનું શું થયું?

જે સમયે બ્લાસ્ટ થયો, ટ્રેનની અંદર 291 મુસાફરો બેઠા હતા. આગની જ્વાળા અને ધુમાડાના ગોટાની વચ્ચે પેસેન્જરની ભાગદોડ મચી ગઈ. રેલવે ચાલક દળે મુસાફરોને સળગતા ડબ્બામાંથી જેમતેમ કરીને બહાર કાઢ્યા. અત્યાર સુધીની જાણકારી અનુસાર, બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. રાહતની વાત એ છે કે સમય રહેતા રેસ્ક્યૂ શરૂ થવાથી અસંખ્ય લોકોના જીવ બચી ગયા.

યુક્રેનના નાયબ પ્રધાનમંત્રી ઓલેક્સી કુલેબાએ આ હુમલાની ટીકા કરતા કહ્યું કે તેને રશિયન આતંકીનું કૃત્ય ગણાવ્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે એક પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ બનાવવો કોઈ સૈન્ય ઉદ્દેશ્ય ન હોઈ શકે. આ ખાલી સામાન્ય નાગરિકોમાં ડર ઊભો કરવાનું કાવતરું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *