ઈંટનો જવાબ પથ્થરથી: T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશી મીડિયા પર ICCના આકરા પગલાં, તમતમી ગયું BCB

ઈંટનો જવાબ પથ્થરથી: T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશી મીડિયા પર ICCના આકરા પગલાં, તમતમી ગયું BCB

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ટી20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશ બહાર થયા પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ભારતમાં યોજાનાર ટુર્નામેન્ટ માટે બાંગ્લાદેશી મીડિયાની એક્રેડિટેશન પ્રક્રિયામાં ફેરફાર શરૂ કરી દીધો છે.

બાંગ્લાદેશી મીડિયા પર આકરા એક્શન
બાંગ્લાદેશી મીડિયા પર આકરા એક્શન

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશ બહાર થયા પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) ભારતમાં યોજાનાર ટુર્નામેન્ટ માટે બાંગ્લાદેશી મીડિયાની એક્રેડિટેશન પ્રક્રિયામાં ફેરફાર શરૂ કરી દીધો છે. આ નિર્ણય પછી ઘણાં બાંગ્લાદેશી પત્રકારોની અરજીઓ રદ કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ICCના સૂત્રોએ PTIને જણાવ્યું કે ટીમની ભાગીદારીમાં ફેરફાર અને શેડ્યુલમાં સંશોધનના કારણે મીડિયા એક્રેડિટેશન પ્રક્રિયા ફરી તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર – રિક્વેસ્ટની સંખ્યા અને ટુર્નામેન્ટ શેડ્યૂલમાં ફેરફારના કારણે પ્રક્રિયાને ફરી વ્યવસ્થિત કરવામાં આવી રહી છે. એ આધારે જ એક્રેડિટેશન લિસ્ટ પર કામ થઈ રહ્યું છે.

બાંગ્લાદેશનું T20 વર્લ્ડ કપમાંથી બહાર થવું ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટો ઝટકો સાબિત થયું છે. હવે આ ઝટકાનો જવાબ આપવાનો વારો ICC અને ભારતનો છે, અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે. જ્યારે મુસ્તાફિઝુર રહેમાનને IPLમાંથી હટાવવામાં આવ્યો, ત્યારે બાંગ્લાદેશે IPLના મેચનું પ્રસારણ બંધ કરવાની ધમકી આપી હતી. હવે તેની અસરો દેખાવા લાગી છે.

મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ICCએ મોટું પગલું ભર્યું છે. ICCએ બાંગ્લાદેશના તમામ પત્રકારોના મીડિયા એક્રેડિટેશન રદ કરી દીધા છે. 50થી વધુ બાંગ્લાદેશી પત્રકારોએ વર્લ્ડ કપ કવર કરવા માટે અરજી કરી હતી, પણ કોઈને પણ મંજૂરી આપવામાં આવી નથી. કેટલાક ફોટોજર્નાલિસ્ટ્સને પહેલા મંજૂરી મળી હતી, પણ પછી તેમના પણ એક્રેડિટેશન રદ કરી દેવામાં આવ્યા. ICCના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ સરકાર દ્વારા ભારતને અસુરક્ષિત દેશ તરીકે દર્શાવતી ટિપ્પણીઓના કારણે આ નિર્ણય લેવાયો છે. આ પહેલો એવો કિસ્સો છે જ્યારે ICCની કોઈ મોટી ટુર્નામેન્ટમાં કોઈ ટીમના ન હોવા છતાં તેના તમામ પત્રકારોને એક સાથે રોકી દેવામાં આવ્યા હોય. ICCએ એ પણ કહ્યું છે કે જો ટીમ માટે ભારત સુરક્ષિત નથી, તો પછી પત્રકારો માટે પણ સુરક્ષિત કેવી રીતે હોઈ શકે?

જ્યાં સુધી બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટરને કોમેન્ટ્રી ટીમમાંથી હટાવવાનો પ્રશ્ન છે, ત્યાં સુધી હજુ સુધી કોઈ અધિકૃત માહિતી મળી નથી કે ICCએ કોઈ બાંગ્લાદેશી પૂર્વ ખેલાડીને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવ્યા હોય. જોકે, સૂત્રો અનુસાર ICCએ બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી છે અને વિકલ્પ તૈયાર રાખવા કહ્યું છે. આ મામલો અહીં અટકવાનો નથી, કારણ કે બાંગ્લાદેશના કેટલાક ક્રિકેટર્સ IPLમાં પણ કોમેન્ટ્રી કરતા હતા, પણ હાલની પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં ક્રિકેટ સાથે જોડાયેલા દરેક ક્ષેત્રમાં બાંગ્લાદેશ અલગ-થલગ પડી જશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *