Raghav Chadha Information: રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ તેમની પાર્ટીના સાથીદારોના આક્ષેપને નકારી કાઢ્યો છે કે તેમણે સંસદમાં પંજાબનો મુદ્દો ઉઠાવ્યો નથી. તેમણે એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓ ઉપલા ગૃહમાં પંજાબ સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ્સમાં, રાઘવ ચઢ્ઢાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા, રાજ્ય સાથે તેમના ઊંડા જોડાણનો દાવો કર્યો હતો અને સાંસદ તરીકે તેમણે ઉઠાવેલા મુદ્દાઓની રૂપરેખા આપી હતી. તેમા નનકાના સાહિબ માટે કોરિડોરની માંગ, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાનૂની સમર્થન, રાજ્યમાં ભૂગર્ભજળના ઘટતા સ્તર અંગે ચિંતા અને ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગનો સમાવેશ થાય છે.
પિક્ચર અભી બાકી હૈ… રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ લખ્યું, ‘આમ આદમી પાર્ટી (આપ)ના મારા એ સાથીદારો માટે, જેમણે એવું કહેતા વીડિયો જારી કરવા મજબૂર કર્યો, કે, રાઘવ ચઢ્ઢા સંસદમાં પંજાબના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ ગયા, આ માત્ર એક ટ્રેલર છે. પિક્ચર હજી બાકી હૈ. પંજાબ મારા માટે માત્ર ચર્ચાનો વિષય નથી. તે મારું ઘર છે, મારું કર્તવ્ય છે, મારી માટી છે, મારો આત્મા છે. ”
રાઘવ ચઢ્ઢા પર પંજાબ આપ નેતાના આક્ષેપ
પંજાબ આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓએ રાઘવ ચઢ્ઢા પર રાજ્યસભામાં રાજ્યના મુદ્દાઓ ન ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. પંજાબના મંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે, રાઘવ ચઢ્ઢાને પંજાબના ધારાસભ્યો દ્વારા રાજ્યસભામાં ચૂંટવામાં આવ્યા હતા, આ આશા સાથે કે તેઓ રાષ્ટ્રીય સ્તરે રાજ્યના મુદ્દાઓનું મજબૂત પ્રતિનિધિત્વ કરશે. જો કે, તેમણે પંજાબને લગતો એક પણ સંવેદનશીલ મુદ્દો ઉઠાવવાનું ટાળ્યું હતું. ચીમાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સામાન્ય લોકોને તક આપે છે, પરંતુ આવા મહત્વના મુદ્દાઓ પર મૌન રહેવું એ પંજાબ અને તેના લોકો સાથે વિશ્વાસઘાત છે. ”
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજે દાવો કર્યો છે કે ચઢ્ઢાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. રાઘવ ચઢ્ઢા, જે એક સમયે મોદી અને ભાજપના કટ્ટર ટીકાકાર હતા, તેમણે તેમની જૂની છબીને સંપૂર્ણપણે ભૂંસી નાખી છે અને પોતાની એક નવી ઇમેજ ઉભી કરી છે, જેવી રીતે કોઈને વોશિંગ મશીનમાં નાંખવામાં આવ્યા હોય.”
રાધવ ચઢ્ઢા રાજ્યસભાનું સભ્યપદ ગુમાવશે? જાણો નિયમો શું છે
આમ આદમી પાર્ટી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ પહેલા રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં પાર્ટીના ડેપ્યુટી લીડર પદેથી હટાવી દીધા હતા. આ પછી રાઘવ ચઢ્ઢાએ પાર્ટી પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને સામાન્ય માણસ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવતા અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધ્યું હતું અને ભાજપના કહેવા પર કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે જો રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટી દ્વારા હાંકી કાઢવામાં આવે છે અથવા તેઓ પોતે પાર્ટી છોડી દે છે, તો શું તેમનું રાજ્યસભાનું સભ્યપદ જતું રહેશે કે ટકી રહેશે? વધુ વાંચવા અહીં ક્લિક કરો.
