Ayodhya Ram Mandir Donation Row : અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું છે કે ભક્તો દ્વારા આપવામાં આવેલા તમામ ઘરેણાં, ચાંદીની ઇંટો વગેરે સુરક્ષિત છે. સાથે ટ્રસ્ટે તાજેતરની ઘટનાઓ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ભક્તોને નિષ્પક્ષ તપાસની ખાતરી પણ આપી હતી.
તાજેતરમાં સિંધી સમુદાયે ચાંદીની ઈંટો અંગે સવાલ ઉઠાવતા એક વીડિયો જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે ટ્રસ્ટને 200 ચાંદીની ઈંટો આપી છે. જેની તેમને રસીદ પણ આપવામાં આવી ન હતી. તેમણે ચાંદીની ઈંટોનો વીડિયો પણ બહાર પાડ્યો હતો.
આ ઘટનાઓથી ટ્રસ્ટ દુ:ખી
રામ મંદિર ટ્રસ્ટે ગોવિંદગિરી તરફથી પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં શ્રી રામ મંદિરમાં સાંભળેલી ઘટનાઓથી અમે આહત અને દુઃખી છીએ. બધા રામભક્તો અને રામસેવકોના પ્રતિનિધિ તરીકે અહીં સેવા કરનાર અમે તેની ન્યાયપૂર્ણ તપાસ અને રામ ભક્તોને આશ્વત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
રાજીનામાની પુષ્ટિ
ટ્રસ્ટે મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામાની પુષ્ટિ કરી છે અને કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર (ટ્રસ્ટ)ના મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રા પાસેથી રાજીનામા મળ્યા છે. ટ્રસ્ટ તેની આગામી બેઠકમાં તેના પર વિચારણા કરશે.
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र के कोषाध्यक्ष पूज्य स्वामी गोविन्द देव गिरी जी महाराज का वक्तव्य
Assertion by the Treasurer of the Shri Ram Janmabhoomi Teerth Kshetra, Pujya Swami Govind Dev Giri Maharaj pic.twitter.com/I8goCrrEt9
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) June 27, 2026
ચાંદીની ઈંટો અને ઝવેરાત સલામત હોવાનો દાવો
ટ્રસ્ટે આગળ કહ્યું કે અમે ભક્તોને ખાતરી આપીએ છીએ કે ભગવાન શ્રી રામની સેવામાં અર્પણ કરવા માટે ટ્રસ્ટના અધિકારીઓને સોંપવામાં આવેલી ચાંદીની ઈંટો, ઝવેરાત વગેરે વસ્તુઓ સુરક્ષિત, હિસાબ સાથે ઉપલબ્ધ છે. મંદિરના દાનપાત્રોથી મળેલી રકમની ઘટના અંગે ટ્રસ્ટની વિનંતી પર યુપી સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટી તરફથી મળેલા વચગાળાના અહેવાલના આધારે ટ્રસ્ટે એફઆઈઆર નોંધાવી છે અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
અયોધ્યા રામ મંદિર દાન વિવાદ : ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને સદસ્ય અનિલ મિશ્રાએ રાજીનામું આપ્યું
તેમાં આગળ કહ્યું કે અમે દરેકને ખાતરી આપીએ છીએ કે અમે સુનિશ્ચિત કરીશું કે ભવિષ્યમાં કોઈ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ ઊભી ન થાય. અમે આગ્રહ કરીશું કે ગુનેગારોને કાયદા મુજબ સજા થવી જોઈએ. અસામાજિક, અધાર્મિક, સ્વાર્થી તત્વો તરફથી સનાતન ધર્મ પર લાંચન લગાડવાના પ્રયાસોને સફળ થવા દેવામાં આવશે નહીં. ટ્રસ્ટે લોકોને ગેરમાર્ગે દોરનારા અને પાયાવિહોણી અફવાઓ ટાળવા અને અન્યને પણ બચાવવા અપીલ કરી હતી.
