વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં અચાનક કોઈ કારણ વગર ઝગડો વધવા લાગે, દરેકનો મૂડ બગડેલો રહે અથવા નાની-નાની વાતોમાં વાદ-વિવાદ થવા લાગે, તો તે ઘરમાં વાસ્તુ દોષ છે, તેવું કહી શકાય. બીજું કે, જ્યારે ઘરમાં વાસ્તુ દોષ હોય છે, ત્યારે પોઝિટિવ એનર્જી ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને આખા ઘરમાં નેગેટિવ વાતાવરણ બની જાય છે.
