જોખમ હજુ ટળ્યું નથી – મનીકંટ્રોલની એક રિપોર્ટ અનુસાર, વિશ્લેષકોનું માનવું છે કે બજેટ પછી ટ્રેડર્સ પોતાની જૂની પોઝિશનનું ફરીથી મૂલ્યાંકન કરી રહ્યા છે, જેના કારણે બજાર હાલમાં કોઈ એક દિશામાં સ્થિર થઈ શકતું નથી. ટેક્નિકલી રીતે નિફ્ટી 25,000ના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે બનેલો છે, જે તેની નબળાઈ દર્શાવે છે. માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે, નિફ્ટી માટે નજીકના સમયમાં 24,650–24,700નો વિસ્તાર એક અત્યંત મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે ઉભરી આવ્યો છે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ આનંદ જેમ્સના મતે, નિફ્ટીએ 24,580ના ડાઉનસાઇડ ટાર્ગેટને સ્પર્શ્યા બાદ પુલબેક રેલી બતાવી છે, જેનાથી રિકવરીની આશાઓ તો જાગી છે, પરંતુ જોખમ હજુ ટળ્યું નથી.

