ખાડી રાષ્ટ્રોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસનો મોટો જથ્થો ભરીને નંદાદેવી નામનું એક જહાજ ગુજરાત આવી પહોંચ્યું છે. દેવભૂમિ દ્વારકાના વાડિનાર પોર્ટ પર વિશાળ ‘નંદા દેવી’ જહાજ પહોંચ્યું છે. ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે. ગઈકાલે શિવાલીક જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યા બાદ આજે ‘નંદા દેવી’ સફળતાપૂર્વક વાડિનારના કિનારે લેન્ડ થયું છે. નંદા દેવી જહાજનું વાડિનાર પહોંચવું દેશ માટે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
Source link
