JNUના આ વિદ્યાર્થી બન્યા બાંગ્લાદેશના વિદેશમંત્રી: ભારત માટે કેટલા વફાદાર? તારિક રહેમાન કરતા તેમની વધારે ચર્ચા

JNUના આ વિદ્યાર્થી બન્યા બાંગ્લાદેશના વિદેશમંત્રી: ભારત માટે કેટલા વફાદાર? તારિક રહેમાન કરતા તેમની વધારે ચર્ચા

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

આ શખ્સ બાંગ્લાદેશની નવી સરકારમાં વિદેશ મંત્રીનું પદ સંભાળનારા ડો. ખલીલુર રહેમાન છે. જેમનું વ્યક્તિત્વ ખૂબ જ ગાઢ અને કૂટનીતિક રીતે સમજદાર નેતા તરીકે જોવામાં આવે છે.

News18
News18

ઢાકા: બાંગ્લાદેશમાં હત્યાઓ અને કાનૂની અવ્યવસ્થાઓના એક લાંબા સિલસિલા બાદ આજે નવી સરકાર બની ચૂકી છે. તારિક રહેમાને પ્રધાનમંત્રી પદના શપથ લઈ લીધા છે અને તેમની કેબિનેટ પણ સીટ પર બેસી ચૂકી છે. તેમની કેબિનેટમાં એકથી એક ચડિયાતા દિગ્ગજો સામેલ છે. આ ઉપરાંત તારિકની કેબિનેટમાં એક એવી પણ હસ્તી છે, જે જેએનયૂના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. આ શખ્સને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. એટલે કે ભારત સાથે જોડાયેલા તમામ મુદ્દાને આ મંત્રી જ ડિલ કરશે. આગળ જાણીએ કોણ છે આ શખ્સ અને ભારતને લઈને શું છે તેમનો દ્રષ્ટિકોણ?

કોણ છે JNUના આ વિદ્યાર્થી

હકીકતમાં આ શખ્સ બાંગ્લાદેશની નવી સરકારમાં વિદેશ મંત્રીનું પદ સંભાળનારા ડો. ખલીલુર રહેમાન છે. જેમનું વ્યક્તિત્વ ખૂબ જ ગાઢ અને કૂટનીતિક રીતે સમજદાર નેતા તરીકે જોવામાં આવે છે. તેઓ એક એવા અનુભવી રાજકારણી છે, જેમને ભારત સાથે જૂનો સંબંધ છે. તારિક રહેમાનની કેબિનેટમાં ખલીલુર ભારત-બાંગ્લાદેશની વચ્ચે મહત્ત્વપૂર્ણ બ્રિજની ભૂમિકા નિભાવી શકે છે.

યૂનુસ સરકારમાં NSA: શેખ હસીના સરકારના પતન બાદ બનેલી મોહમ્મદ યૂનુસની વચગાળાની સરકારમાં તેમને રોહિંગ્યા સંકટ અને અન્ય મુદ્દા પર મુખ્ય સલાહકારના ઉચ્ચ પ્રતિનિધિ બનાવ્યા હતા. તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પણ સક્રિય રહ્યા. આ દરમિયાન તેમણે પોતાના ભારતના સમકક્ષ એટલે કે NSA અજિત ડોભાલ સાથે મુલાકાત કરી સુરક્ષા અને ઇન્ટેલિજન્સના મોર્ચા પર સહયોગની વાત કરી હતી.

JNUના વિદ્યાર્થી: રહમાનના ભારત સાથેના સંબંધોની મૂળ તેમના છાત્ર જીવન સાથે જોડાયેલા છે. તેમણે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાંથી પબ્લિક હેલ્થમાં PHDની ડિગ્રી લીધેલી છે. જેએનયૂમાંથી ભણેલા હોવાનું તેમને ભારતીય પ્રશાસનિક અને બૌદ્ધિક વ્યવસ્થાની ઊંડી સમજ આપે છે.

કેનેડામાં ભારતનો સાથ: જ્યારે નિઝ્ઝર કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે કૂટનીતિક વિવાદ ચરમ પર હતો, ત્યારે કેનેડામાં બાંગ્લાદેશના હાઈ કમિશનર તરીકે ડો. ખલીલુર રહેમાને કેનેડા પોલીસની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા ગુનેગારો અને ભાગેડૂઓ માટે સુરક્ષિત આશ્રયદાતા બનતો જાય છે. જે ભારતના વલણને સમર્થન હતું.

પ્રો-ભારત છબિ: તેમને બાંગ્લાદેશી કૂટનીતિમાં ભારત પ્રત્યે બેલેન્સ અને સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાના ચહેરા તરીકે જોવામાં આવે છે. તેઓ કરિયર ડિપ્લોમેટ રહ્યા છે અને ભારતમાં બાંગ્લાદેશ હાઈ કમિશનમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.

ખલીલુર રહેમાન 1985 બેચના વિદેશ સેવા અધિકારી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને કેનેડામાં હાઈ કમિશનમાં કામ કર્યું છે. એક મેડિકલ ડોક્ટર હોવાની સાથે સાથે તેમની પાસે અર્થશાસ્ત્ર અને કૂટનીતિની પણ ડિગ્રી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *