IPL 2025 ની 59મી મેચ દરમિયાન, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક અનોખો નજારો જોવા મળ્યો. રાજસ્થાન ટીમ સામેની મેચની વચ્ચે જ પંજાબ કિંગ્સને પોતાનો કેપ્ટન બદલવો પડ્યો. શ્રેયસ ઐયરના સ્થાને, એક અનકેપ્ડ ખેલાડીને પંજાબ કિંગ્સની કમાન સોંપવામાં આવી. આ ખેલાડીએ પણ જોરદાર ઇનિંગ્સ રમી, જેના કારણે પંજાબની ટીમ મેચમાં પ્રથમ બેટિંગ કરતી વખતે 200+ રન બનાવી શકી.
