IND vs NZ: સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી ટી20 મેચમાં કોને મળશે તક, કોચે આપ્યો જવાબ

IND vs NZ: સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી ટી20 મેચમાં કોને મળશે તક, કોચે આપ્યો જવાબ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ટીમ ઇન્ડિયા માટે નંબર ત્રણ પર બેટિંગ કરી રહેલો ઈશાન કિશન ઈજાને કારણે રમી શક્યો નહોતો. હવે મોટો સવાલ એ છે કે, શું ટીમ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં સંજુ સેમસનને બહાર કરશે?

ઈશાન કિશન કે સંજુ સેમસન કોને મળશે તક?
ઈશાન કિશન કે સંજુ સેમસન કોને મળશે તક?

IND vs NZ: ટીમ ઇન્ડિયા માટે નંબર ત્રણ પર બેટિંગ કરી રહેલો ઈશાન કિશન ઈજાને કારણે રમી શક્યો નહોતો. હવે મોટો સવાલ એ છે કે, શું ટીમ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં સંજુ સેમસનને બહાર કરશે? એ પણ જોવા જેવી વાત છે કે, સંજુ સેમસને અત્યાર સુધીમાં પોતાના ઘર તિરુવનંતપુરમમાં એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. શું તેની આ આતુરતાનો હવે અંત આવશે?

ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકને ન્યૂઝીલેન્ડ પાંચમી ટી20 આંતરરાષ્ટ્રીય મેચની પૂર્વ સંધ્યાએ આ સવાલ પૂછવામાં આવ્યો હતો. કોટકે આ સવાલનો ખૂબ જ સંતુલિત જવાબ આપ્યો. ઠીક એવી રીતે જેમ ક્રિકેટમાં બેટ્સમેન ઓફ સ્ટંપની બહાર જતો બોલ છોડી દે છે.

સંજુ સેમસનને એક સિનિયર ખેલાડી ગણાવતા કોટકે કહ્યું કે, ટીમ મેનેજમેન્ટને એ વાતનો અંદાજ છે કે, 31 વર્ષીય બેટ્સમેન ઓપનિંગ કરતા કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. એ પણ હકીકત છે કે, ન્યૂઝીલેન્ડ સામે સંજુનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણેનું રહ્યું નથી, અને આ વાત સંજુ અને ટીમ મેનેજમેન્ટ બંને જાણે છે.

હાલ કોટક, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવનો પ્રયત્ન એ જ છે કે, સંજુને યોગ્ય માનસિક સ્થિતિમાં રાખવામાં આવે. જેથી ફોર્મમાં આવ્યા પછી તે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી શકે.

કોટકે કહ્યું, સંજુ એક સિનિયર ખેલાડી છે. પરંતુ તેણે અપેક્ષા અનુસાર રન બનાવ્યા નથી. આપણી જવાબદારી છે કે, આપણે તેને સારી માનસિક સ્થિતિમાં રાખીએ. આપણે બધા જાણીએ છીએ કે, તે શું કરી શકે છે.

ટીમ ઇન્ડિયા બીજા વિકેટકીપર ઈશાન કિશન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચમી ટી20 મેચમાં જગ્યા બનાવી શકે છે. ઝારખંડના ડાબા હાથનો બેટ્સમેન ગત મેચમાં નાનકડી ઈજાના કારણે મેચમાં રમી શક્યો નહોતો. ઈશાન કિશનની જગ્યાએ અર્શદીપ આવ્યો હતો. સિતાંશુ કોટકને આશા છે કે, કિશન છેલ્લી મેચ માટે ઉપસ્થિત રહેશે.

ભારતીય ટીમ: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *