
રુદ્રમહાલય નામની પૃષ્ઠભૂમિ ભગવાન શિવના “રુદ્ર” સ્વરૂપ સાથે જોડાયેલી છે. આ મંદિર ભગવાન રુદ્ર, એટલે કે શિવને સમર્પિત હતું. મહાલયનો અર્થ થાય છે,વિશાળ મંદિર અથવા વિશિષ્ટ ધાર્મિક સંકુલ. એટલે, “રુદ્રમહાલય”નો અર્થ થાય છે રુદ્ર (શિવ) માટે બનાવાયેલું ભવ્ય મંદિર. (Credit: – Wikipedia)
1 / 9

ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર નગરમાં પ્રાચીન કાળનું રુદ્રમહાલય મંદિર આવેલું છે, જે હવે એક ખંડિત ધાર્મિક સંકુલ છે. આ મંદિરનું બાંધકામ ઇ.સ. 943માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતુંઅને તેને રાજા સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં ઇ.સ. 1140 સુધીમાં પૂરું કરાયું હતું. (Credit: – Wikipedia)
2 / 9

ઈતિહાસ મુજબ આ ભવ્ય મંદિર પર પ્રથમ આક્રમણ અલાઉદ્દીન ખિલજી દ્વારા અને પછી અહમદશાહ પ્રથમ (ઈ.સ. 1410-1444) દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પરિણામે મંદિરનો મોટો હિસ્સો નષ્ટ થયો હતો. તેમાંથી કેટલાક ભાગોને મસ્જિદમાં પણ પરિવર્તિત કરવામાં આવ્યા છે. આજે પણ અહીંનું ભવ્ય તોરણ અને કેટલાક સ્તંભો હજુ જળવાયેલા છે, જ્યારે મંદિરનો પશ્ચિમ ભાગ હાલ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે. (Credit: – Wikipedia)
3 / 9

સિદ્ધપુર શહેરનો ઉલ્લેખ પૌરાણિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ “શ્રીસ્થલ” તરીકે થાય છે. તેનું મહત્વ ખાસ કરીને સોલંકી શાસનકાળ દરમિયાન વધ્યું, ખાસ કરીને 10મી સદીમાં. આજથી લગભગ હજારો વર્ષ પહેલાં,સોલંકી વંશના સ્થાપક રાજા મૂળરાજે ઇ.સ. 943માં અહીં ભવ્ય રુદ્રમહાલય મંદિરના નિર્માણની શરૂઆત કરી હતી. (Credit: – Wikipedia)
4 / 9

મૂળરાજના જીવનમાં રાજસત્તા મેળવવા માટે ઉગ્ર પગલાં લેવાયા હતા, જેમ કે પોતાના કાકાની હત્યા અને માતાના સગા-સંબંધીઓના સંહાર જેવા નિર્ણયો. આ કારણોસર, વૃદ્ધાવસ્થામાં તેને આંતરિક શાંતિનો અભાવ અનુભવાયો. મનની શાંતિ માટે તેણે ધર્મમાં વળગીને યાત્રાધામોનો વિકાસ શરૂ કર્યો અને વિદ્વાન બ્રાહ્મણોને દરબારમાં આમંત્રિત કર્યા. (Credit: – Wikipedia)
5 / 9

તે સમયગાળામાં શ્રીસ્થલ તરીકે ઓળખાતા સિદ્ધપુરમાં રુદ્રમહાલયનું નિર્માણ શરૂ કરાયું. ઇ.સ. 996માં મૂળરાજે રાજસિંહાસન ત્યાગ્યું, પણ તેનું મહત્વકાંક્ષી મંદિરનું કાર્ય અધૂરું જ રહ્યું.આખરે આ મંદિરનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં 12મી સદીમાં (ઈ.સ. 1140 આસપાસ) પૂર્ણ થયું. (Credit: – Wikipedia)
6 / 9

આ મંદિરમાં જોવા મળતા ઊંચા સ્તંભો અને તેમનાં પર કોતરાયેલા કળાત્મક નખશીખ શિલ્પો મંદિરની પ્રાચીન ભવ્યતા અને સમૃદ્ધ કલા પરંપરાનું પ્રતિબિંબ આપે છે. રુદ્રમહાલયની લંબાઈ અંદાજે 70 મીટર અને પહોળાઈ 49 મીટર છે.ભારતીય પુરાતત્વ વિભાગ મુજબ, મંદિર બે માળમાંથી બનેલું હતું અને તેની ઊંચાઈ લગભગ 150 ફૂટ જેટલી હતી. (Credit: – Wikipedia)
7 / 9

આ ભવ્ય મંદિરસંકુલમાં બાર પ્રવેશદ્વારો અને અગિયાર રુદ્રમૂર્તિઓ માટે નિર્મિત ખાસ દેવકુલિકાઓ હતી. મંદિરના શિખર પર અનેક સુવર્ણકળશોસ્થાપિત કરવામાં આવ્યા હતા અને અંદાજે 1600 ધજાઓ ફરકતી હતી, જે તેની ધાર્મિક મહત્તા દર્શાવે છે.રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની અંદરથી રામાયણ અને મહાભારતના પ્રસંગો અલૌકિક શિલ્પકામ દ્વારા કંડારાયેલા હતાં, જે દર્શકોને ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યોની ઝલક આપી રહ્યા છે. (Credit: – Wikipedia)
8 / 9

આજે રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે, જેમાંના થોડાક ભાગો જ ઐતિહાસિક અવશેષ તરીકે બચી ગયા છે. જોકે તેનું હાલનું અવશેષરૂપ પણ, સોલંકી વંશના શિલ્પકૌશલ્ય અને કલાત્મક સમૃદ્ધિના શ્રેષ્ઠ દાખલા રૂપે પ્રગટ થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credit: – Wikipedia)
9 / 9
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
