GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર, જાણો હવે ક્યારે યોજાશે?

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર, જાણો હવે ક્યારે યોજાશે?

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ઉમેદવારો દ્વારા વિવિધ પરીક્ષાઓ વચ્ચેના અંતર, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો અને લોજિસ્ટિક કારણોસર રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતોના અનુસંધાને આયોગે પુનર્વિચાર કરી કુલ 61 જાહેરાતોની પ્રાથમિક કસોટી હવે 10 મે, 2026ના રોજ યોજવાનો નિર્ણય કર્યો છે.

આયોગે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે.
આયોગે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે.

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સંવર્ગોની ભરતી માટે લેવામાં આવનાર પ્રાથમિક કસોટી (સામાન્ય અભ્યાસ)ની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જાહેર કરાયેલી 26-04-2026ની પરીક્ષા તારીખ હવે બદલીને 10-05-2026 (સમય: 11થી 12.00) નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આયોગે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું છે.

આયોગની વેબસાઈટ પર પહેલા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ અમુક જાહેરાતોની પ્રાથમિક કસોટી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાવાની હતી. જોકે, ઉમેદવારો દ્વારા વિવિધ પરીક્ષાઓ વચ્ચેના અંતર, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો અને લોજિસ્ટિક કારણોસર રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતોના અનુસંધાને આયોગે પુનર્વિચાર કરી કુલ 61 જાહેરાતોની પ્રાથમિક કસોટી હવે 10 મે, 2026ના રોજ યોજવાનો નિર્ણય કર્યો છે.

ફેરફારનો પ્રભાવ વર્ગ-1 અને વર્ગ-2ના અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પડશે. તેમાં આચાર્ય, વર્ગ-2 (ખાસ ભરતી), ઉદ્યોગ અધિકારી (MSME) વર્ગ-2, ઉદ્યોગ અધિકારી (કમિશનર કચેરી), બાળ વિકાસ યોજના અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, નાયબ માહિતી નિયામક (વર્ગ-1) અને સહાયક માહિતી નિયામક (સંપાદન), અધિક્ષક પુરાતત્ત્વવિદ, નિયામક ગ્રંથાલય, મદદનીશ વહીવટી અધિકારી સહિતના પદોનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત, ગુજરાત મત્સ્યોદ્યોગ સેવાના વહીવટી અધિકારી, સહાયક પ્રાધ્યાપક (ઓટોમોબાઈલ અને પ્રોડક્શન), સરકારી પોલીટેકનિકમાં વ્યાખ્યાતા (આર્કિટેક્ચર, સિરામિક, મેટલર્જી, અંગ્રેજી), તેમજ વિનયન-વાણિજ્ય-વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપક (કોમ્પ્યુટર સાયન્સ, ભૂગોળ) જેવા વિવિધ શૈક્ષણિક અને તકનીકી સંવર્ગો પણ આ સુધારેલી તારીખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

આયોગે સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષાનો સમય યથાવત્ રહેશે અને તે 11થી 12 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. ઉમેદવારોને આયોગની સત્તાવાર વેબસાઈટ પર સમયાંતરે અપડેટ તપાસવા તેમજ એડમિટ કાર્ડ સંબંધિત સૂચનાઓ માટે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

તારીખમાં ફેરફારને કારણે ઉમેદવારોને તૈયારી માટે વધારાનો સમય મળશે, જે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ બની શકે છે. પરીક્ષા આયોજનમાં પારદર્શિતા અને ઉમેદવારોના હિતને પ્રાથમિકતા આપવાના આયોગના પ્રયાસ તરીકે આ નિર્ણય જોવામાં આવી રહ્યો છે. આ સાથે જ, પરીક્ષા કેન્દ્રો અને અન્ય વ્યવસ્થાઓ અંગેની વિગતવાર માહિતી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *