Final Up to date:
આ ચર્ચાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે અમેરિકાએ વેનેઝુએલા પર લગાવેલા પ્રતિબંધોમાં અસ્થાયી ઢીલ આપવાના સંકેત આપ્યા.
નવી દિલ્હી: વેનેઝુએલા પાસેથી ઓઇલ ભારત ખરીદશે તેવી ખૂબ જ વાતો થઈ રહી છે. આવા કેટલાય દાવા થઈ રહ્યા છે, પણ પહેલી વાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તેના પર જવાબ આપ્યો છે. નેટવર્ક 18ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં જ્યારે નિર્મલા સીતારમણને તેના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મને તેના વિશે કોઈ આઇડિયા નથી.
આ ચર્ચાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે અમેરિકાએ વેનેઝુએલા પર લગાવેલા પ્રતિબંધોમાં અસ્થાયી ઢીલ આપવાના સંકેત આપ્યા. ભારતની સરકારી અને ખાનગી રિફાઇનરીઝ હંમેશાથી વેનેઝુએલાના ભારે ક્રૂડ ઓઇલની મોટી ખરીદી કરે છે. કહ્યું કે, હાલમાં જ ભારતીય રિફાઇનરીઝે ફરીથી વેનેઝુએલાના ઓઇલ માટે ઓર્ડર આપવાના શરૂ કરી દીધા છે. જેનાથી વૈશ્વિક ઊર્જા બજારમાં હલચલ મચી ગઈ છે. આ વાતને બળ ત્યારે મળ્યું જ્યારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી, જો કે તેમાં એનર્જીનો ઉલ્લેખ નહોતો કર્યો.
વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવાથી શું ફાયદો
- રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો અસ્થિર છે. વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવું ભારતને ખૂબ જ સસ્તું પડે છે.
- ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે ખાલી ખાડી દેશો અથવા રશિયા પર નિર્ભર રહેવા નથી માગતું. વેનેઝુએલા એક મજબૂત ત્રીજો વિકલ્પ તરીકે ઊભરી આવ્યો છે.
- વેનેઝુએલાની સરકારી કંપની PDVSA પર ભારતીય કંપની ONGC વિદેશ લિમિટેડનું કરોડો ડોલર બાકી છે. ઓઇલ ખરીદી માટે વેનેઝુએલા આ દેવાને ચુકવી શકે છે.
જો કે આ વેપાર એકદમ ગ્રીન સિગ્નલ પર નથી. અમેરિકી ચૂંટણી અને ત્યાંની આંતરિક રાજનીતિના કારણે પ્રતિબંધોની તલવાર ફરીથી લટકી શકે છે. ભારત ખૂબ જ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યું છે, જેથી અમેરિકી નારાજગીનો સામનો ન કરવો પડે અને દેશને સસ્તું ઇંધણ પણ મળી શકે.

