રોજિંદા કામકાજ દરમિયાન ઉદભવતી બાબતોમાં કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેનું વિગતવાર વર્ણન ચાણક્ય નીતિમાં કરવામાં આવ્યું છે. આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, સમાજ, રાજકારણ, શાસન, ન્યાય અને જીવનની નીતિશાસ્ત્રને લગતી બાબતોને તેમા ઉત્તમ રીતે સમજાવી છે. તેમની નીતિઓ આજના સમયમાં પણ એટલી સુસંગત છે કે તેનું પાલન કરીને વ્યક્તિ ઘણી સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકે છે.
