Raghav Chadha Left AAP: આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી સંયોજન અરવિંદ કેજરીવાલના નજીકના રાઘવ ચઢ્ઢા એ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. માત્ર રાઘવ ચઢ્ઢા જ નહીં પણ આપના કૂલ 7 સાંસદોએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે. જેમાં સંદીપ પાઠક, અશોક મિત્તલ, વિક્રમ સાહની, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ અને રાજીન્દર ગુપ્તાનું નામ પણ છે.
શુક્રવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે અશોક મિત્તલ અને સંદીપ પાઠક પણ હતા. આ કાર્યક્રમ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે તેઓ આમ આદમી પાર્ટી (AAP) છોડી રહ્યા છે અને તે બધા ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમ દરમિયાન રાઘવ અને તેમના સાથીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી હતી.
રાઘવ ચઢ્ઢાનો દાવો: બે તૃતીયાંશ સાંસદો અમારી સાથે છે
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “આપના રાજ્યસભામાં હાલમાં 10 સાંસદો છે અને તેમાંથી બે તૃતીયાંશથી વધુ સાંસદો આ બાબતે અમારી સાથે ઉભા છે. તેઓએ જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે અને આજે સવારે અમે રાજ્યસભાના અધ્યક્ષને હસ્તાક્ષરિત પત્રો અને દસ્તાવેજો સુપરત કર્યા છે. તેમાંથી ત્રણ સાંસદો હાલમાં તમારી સમક્ષ હાજર છે. અમારા ઉપરાંત હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, વિક્રમ સાહની અને સ્વાતિ માલીવાલ પણ સાંસદોમાં સામેલ છે.”
#WATCH | 2/third MPs of AAP in Rajya Sabha announce merging with the BJP.
AAP MP Raghav Chadha says, “There are 10 AAP MPs within the Rajya Sabha, greater than 2/third of them are with us on this. They’ve signed and this morning we submitted the signed letter and paperwork to the Rajya… pic.twitter.com/mn4kuYs2ht
— ANI (@ANI) April 24, 2026
રાઘવ ચઢ્ઢાએ વધુમાં ઉમેર્યું, “અમે નિર્ણય લીધો છે કે અમે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ સભ્યો ભારતના બંધારણમાં સમાવિષ્ટ જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં ભળીશું.” રાઘવ ચઢ્ઢાએ ટિપ્પણી કરી, “મેં મારા પોતાના લોહી અને પરસેવાથી AAP ને ઉછેર્યું, મારી યુવાનીનાં 15 વર્ષ તેને સમર્પિત કર્યા. જોકે પાર્ટી હવે તેના મુખ્ય સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળભૂત નીતિશાસ્ત્રથી ભટકી ગઈ છે. આ પાર્ટી હવે રાષ્ટ્રીય હિતમાં કામ કરતી નથી પરંતુ પોતાના વ્યક્તિગત લાભ માટે કામ કરે છે.”
સાવધાન! તમારી ચામાં ઝેર તો નથી ને? હૈદરાબાદમાં 3000 કિલો નકલી ચા પકડાતા ખળભળાટ
ખોટી પાર્ટીમાં સાચો માણસ: રાઘવ
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું, “છેલ્લા કેટલાક વર્ષોથી મને ‘ખોટી પાર્ટીમાં સાચો માણસ’ જેવો અનુભવ થઈ રહ્યો છે. તેથી હું આજે જાહેરાત કરું છું કે હું AAP થી અલગ થઈ રહ્યો છું અને લોકોની નજીક જઈ રહ્યો છું.” રાઘવ ચઢ્ઢાએ એ પણ જાહેરાત કરી કે તેઓ તેમના તમામ છ સાથી સાંસદો સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાશે. અહેવાલો એ પણ સૂચવે છે કે રાઘવ ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મળવાના છે.
રાજ્યસભામાં AAP ની હાજરી ઘટી
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી પાસે અગાઉ રાજ્યસભામાં કુલ 10 બેઠકો હતી. તેમાંથી 7 સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરતા હતા, જ્યારે બાકીના 3 દિલ્હીનું પ્રતિનિધિત્વ કરતા હતા. શુક્રવારે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે અન્ય સાત સાંસદો સાથે પાર્ટી છોડવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટી હવે રાજ્યસભામાં સંકોચાઈ ગઈ છે.
