‘થર્ડ-ક્લાસ’: પાકિસ્તાની પરિવારે ‘ધૂરંધર 2’ જોયા પછી આપ્યો રિવ્યૂ, લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા

‘થર્ડ-ક્લાસ’: પાકિસ્તાની પરિવારે ‘ધૂરંધર 2’ જોયા પછી આપ્યો રિવ્યૂ, લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા

મનોરંજન ENTERTAINMENT
Spread the love


રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયા છે અને આટલા ટૂંકા ગાળામાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી ચૂકી છે. જ્યારે ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર ₹300 કરોડથી વધુની કમાણી કરી છે ત્યારે તે સત્તાવાર રીતે વૈશ્વિક સ્તરે ₹500 કરોડના ક્લબમાં જોડાઈ ગઈ છે. ફિલ્મ જોયા પછી સામાન્ય દર્શકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ સુધી દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરી રહ્યા છે.

જોકે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાની પરિવાર ‘ધુરંધર 2’ જોયા પછી પોતાનો રિવ્યૂ શેર કર્યો છે. તેઓએ આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ફિલ્મને “કચરો” અને “થર્ડ-ક્લાસ” ગણાવી હતી. વધુમાં ખૂબ જ અંતમાં તેઓએ “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવ્યા હતા. તેમનો આ વીડિયો હવે ઓનલાઈન ઘણું ધ્યાન ખેંચી રહ્યો છે.

પાકિસ્તાની પરિવારના સભ્યોએ શું કહ્યું

એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે એક પાકિસ્તાની પરિવાર શાનદાર ‘ધુરંધર’ થી ખૂબ પ્રભાવિત થઈને ‘ધુરંધર 2’ જોવા ગયો પરંતુ તેને નાપસંદ કરી દીધી. ત્યારબાદ વીડિયોમાં રહેલા લોકો રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપે છે. નોંધનીય છે કે આ વીડિયો યુકેના એક સિનેમા થિયેટરની બહાર ફિલ્માવવામાં આવ્યો હતો. વીડિયો એક યુવતી સાથે શરૂ થાય છે જે કહે છે, “અમે હમણાં જ ‘ધુરંધર’ જોયા છે – અહીં અમારો રિવ્યૂ છે.”

Advertisment

Screen Awards Banner

ત્યારબાદ એક પુરુષ ટિપ્પણી કરે છે, ‘થર્ડ-ક્લાસ. મેં મારા જીવનમાં ક્યારેય આવી થર્ડ-ક્લાસ ફિલ્મ જોઈ નથી.” પછી બીજો વ્યક્તિ કેમેરા સામે આવે છે અને જાહેર કરે છે, ‘તમે જાણો છો મેજર ઇકબાલે શું કહ્યું હતું, ખરું ને?… ‘આપણે પાછા આવીશું. આપણે ફરીથી ઘૂસણખોરી કરીશું અને આપણે ફરીથી હુમલો કરીશું.’ અંતે એક મહિલા દેખાય છે અને કહે છે કે જો “કચરો” અથવા “થર્ડ-ક્લાસ” કરતાં પણ ખરાબ કોઈ શબ્દ હોય તો તે આ ફિલ્મ પર સંપૂર્ણ રીતે લાગુ પડે છે. આ વીડિયોનો અંત આખા ગ્રુપ દ્વારા એકસાથે “મેજર ઇકબાલ ઝિંદાબાદ” અને “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવવા સાથે થાય છે.

હર્ષ સંઘવીની ગુનેગારોને ચેતવણી- ‘જો તમે નાગરિકોને હેરાન કરશો, તો પોલીસ ‘હનુમાન’ બની જશે’

ઉલ્લેખનીય છે કે આ જ પરિવારે ડિસેમ્બર 2025 માં રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મનો પહેલો ભાગ જોયો હતો અને તે સમયે તેની ખૂબ પ્રશંસા કરી હતી. વધુમાં તે સમયે તેમણે પાકિસ્તાનીઓને આ ફિલ્મ જોવાની અપીલ કરી હતી. હવે બીજા ભાગને મળી રહેલી વિપરીત પ્રતિક્રિયાથી લોકો ખુશ નથી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *