દામાણીએ કહ્યું કે, જ્યારે બજારમાં મોટો ઘટાડો આવતો અને ચારે તરફ નિરાશાનો માહોલ હતો, ત્યારે ઝુનઝુનવાલા એક જ વાર પુનરાવર્તિત કરતા હતા, ભારતની વિકાસ યાત્રા પર વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો. દામાણીએ કહ્યું કે, ઝુનઝુનવાલા માનતા હતા કે, બજારમાં ઉતાર-ચઢાવ તો અસ્થાયી છે, પરંતુ ભારતની લાંબાગાળાની પ્રગતિ એક સ્થાયી સત્ય છે. આ વિચારે તેમની રોકાણ વ્યૂહરચનાઓનું દાયકાઓ સુધી માર્ગદર્શન કર્યું છે.

