વિમાનમાં મુસાફરી મોંઘી થઈ: ઈન્ડિગોએ ટિકિટ પર લગાવ્યો નવો ફ્યૂલ સરચાર્જ, કાલથી ભાડા વધી જશે

વિમાનમાં મુસાફરી મોંઘી થઈ: ઈન્ડિગોએ ટિકિટ પર લગાવ્યો નવો ફ્યૂલ સરચાર્જ, કાલથી ભાડા વધી જશે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

એરલાઈન અનુસાર, 14 માર્ચ 2026ની 12.01 વાગ્યાથી તમામ નવી ટિકિટ બુકિંગ પર વધારાનો ફ્યૂલ ચાર્જ જોડવામાં આવશે.

News18
News18

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન કંપનીઓમાંથી એક ઈન્ડિગોએ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરી છે. કંપની 14 માર્ચ 2026થી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર નવા ફ્યૂલ સરચાર્જ લાગુ કરવા જઈ રહી છે. તેનાથી નવી બુકિંગ કરનારા યાત્રીઓને પહેલાંની તુલનામાં વધારે ભાડાં આપવાં પડી શકે છે.

14 માર્ચથી લાગુ થશે નવો ફ્યૂલ ચાર્જ

એરલાઈન અનુસાર, 14 માર્ચ 2026ની 12.01 વાગ્યાથી તમામ નવી ટિકિટ બુકિંગ પર વધારાનો ફ્યૂલ ચાર્જ જોડવામાં આવશે. આ ચાર્જ અલગ અલગ રૂટના હિસાબથી નક્કી કરવામાં આવ્યો છે. ભારતની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરોને પ્રતિ સેક્ટર લગભગ 425 રૂપિયા વધારે ચાર્જ આપવો પડશે. વળી, ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ માટે પણ એટલો જ ચાર્જ લાગુ થશે. મિડલ ઈસ્ટ માટે આ ચાર્જ લગભગ 900 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યારે સાઉથ ઈસ્ટ એશિયા અને ચીન માટે 1800 રૂપિયા સુધી આપવો પડશે. યુરોપ જતાં મુસાફરો માટે આ ચાર્જ લગભગ 2300 રૂપિયા પ્રતિ સેક્ટર સુધી પહોંચી શકે છે.

ઈંધણની કિંમતોમાં ભારે ઉછાળો બન્યું કારણ

એરલાઈન કંપનીઓના આ નિર્ણય પાછળ મુખ્ય કારણ વિમાન ઈંધણની કિંમતોમાં ઝડપી વધારો છે. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજનીતિક તણાવના કારણે ક્રૂડ ઓઈલ અને એવિએશન ટરબાઈન ફ્યૂલની કિંમતોમાં તેજ ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય આંકડા અનુસાર, અમુક વિસ્તારમાં જેટ ફ્યૂલની કિંમતો 85 ટકાથી વધારે વધી ચૂક્યા છે. કેમ કે, વિમાન ઈંધણ એરલાઈન કંપનીઓના ખર્ચનો મોટો ભાગ હોય છે. એટલા માટે, તેની કિંમત વધવાની સીધી અસર ટિકિટ ભાડાં પર પડી છે.

એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોનું પગલું

થોડા દિવસ પહેલાં એર ઈન્ડિયા જૂથે પણ આ રીતે ફ્યૂલ સરચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી હતી. હવે ઈન્ડિગોના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે વધતા ખર્ચાની અસર આખી એવિએશન ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે. કંપનીઓનું કહેવું છે કે આ પગલું ઓપરેટિંગ ખર્ચમાં અચાનક આવેલા વધારાને સંતુલિત કરવા માટે ઉઠાવ્યું છે.

સ્થિતિ પર નજર રાખશે એરલાઈન

ઈન્ડિગોએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કંપની હાલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. જો ઈંધણની કિંમતોમાં કોઈ બદલાવ થશે તો ફ્યૂલ સરચાર્જમાં પણ આગળ સમાયોજન કરી શકાય છે. હાલ આ નિર્ણયની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડવાની છે. કેમ કે, નવી બુકિંગ કરાવવા પર ટિકિટની કુલ કિંમત પહેલાં કરતાં વધારે થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *