કહેવાય છે કે ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ ગમે તેવા કપરા રસ્તાઓને પણ આસાન બનાવી દે છે. બોટાદના સંજયભાઈ પડલીયાના કિસ્સામાં આ વાત સાર્થક સાબિત થઈ રહી છે. સંજયભાઈ આંખે પાટા બાંધીને બોટાદથી દ્વારકા સુધીની 360 કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યા છે. પોતાની માનતા પૂરી કરવા માટે તેઓ આંખે પાટા બાંધીને રસ્તા પર ચાલી રહ્યા છે. સ્વાસ્થ્ય સુધરતા માનતા ફળતા તેમણે આ કઠિન સંકલ્પ લીધો હતો. 7 દિવસની પગપાળા યાત્રા કરી તેઓ હાલ જામનગર પહોંચ્યા છે.
Source link
