ભારતીય રસોઈની ઓળખ મસાલાથી થાય છે, પરંતુ આ મસાલાને સ્વાદ અને સુગંધ આપવાનું કામ તેલ કરે છે. હળદર, નમક અને મરચાના પાઉડર સાથે સાથે તેલ દરેક ડિશમાં મહત્વનો ભાગ ભજવે છે. વઘાર હોય કે, શાકની ગ્રેવી હોય કે પરોઠાનું પડ હોય, તેલ વગર ભારતીય ખોરાક અધૂરો લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદ્ય તેલને લઈને ઘણા અભ્યાસ સામે આવ્યાં છે. જેમાં જણાવાયું છે કે, અયોગ્ય તેલનો વધારે પડતો ઉપયોગ હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે.

