60 વર્ષની ઉંમરે પણ અટૂટ સેવા! કિશોરભાઈ વરમોરાની 40 વર્ષથી અવિરત ગૌસેવા

60 વર્ષની ઉંમરે પણ અટૂટ સેવા! કિશોરભાઈ વરમોરાની 40 વર્ષથી અવિરત ગૌસેવા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં રહેતા કિશોરભાઈ વરમોરા છેલ્લા ચાર દાયકાથી નિઃસ્વાર્થ રીતે ગૌસેવામાં લીન છે. 60 વર્ષની ઉંમરે પણ દિવસ-રાતની પરવા કર્યા વગર ગાય અને મૂંગા પ્રાણીઓની સેવા કરનાર કિશોરભાઈ આજે માનવતા, કરુણા અને સેવાભાવનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. 40 વર્ષથી સતત 365 દિવસ ગૌસેવામાં સમર્પિત તેમનું જીવન સમાજ માટે પ્રેરણારૂપ છે.

+

કિશોરભાઈ

કિશોરભાઈ વરમોરાની 40 વર્ષની અવિરત ગૌસેવા

અમરેલી: ધારી તાલુકામાં એક એવા વ્યક્તિ છે, જેનું જીવન માત્ર પોતાના માટે નહીં પરંતુ નિઃશબ્દ પ્રાણીઓ માટે સમર્પિત છે. કિશોરભાઈ વરમોરા 60 વર્ષની ઉંમરે પણ એ જ ઉત્સાહ અને સમર્પણ સાથે ગૌસેવામાં મગ્ન છે. છેલ્લા સતત 40 વર્ષથી તેઓ વર્ષના 365 દિવસ ગાયોની સેવા કરી રહ્યા છે. તેમના માટે ગૌસેવા કોઈ કાર્ય નથી, પરંતુ જીવનનો પરમ ધર્મ છે.

કિશોરભાઈ કહે છે કે જ્યારે કોઈ ગાય બીમાર હોય, રોડ અકસ્માતમાં ઘાયલ થઈ હોય અથવા કોઈ પણ તકલીફમાં હોય, ત્યારે તેઓ દિવસ હોય કે રાત, સમય કે પરિસ્થિતિ કોઈ પણ હોય, તરત જ સેવા માટે પહોંચી જાય છે. ગાયની સ્થિતિ કેટલી પણ ગંભીર હોય, તેઓ પોતાના ખર્ચે ઘટના સ્થળે પહોંચે છે અને જરૂરી સારવાર પણ પોતાના પૈસે કરાવે છે. ઘણી વખત અડધી રાત્રે ફોન આવે તો પણ વિના અચકાટ તેઓ ઘરમાંથી નીકળી જાય છે.

આ સેવા માત્ર ગાય સુધી મર્યાદિત નથી. કિશોરભાઈ વરમોરા અને તેમનો પરિવાર મળીને ધારીના વિવિધ વિસ્તારોમાં ગાય અને રખડતા કૂતરાઓ માટે ખાસ ખીચડો અને રોટલા બનાવીને નિયમિત વિતરણ કરે છે. રોજિંદા જીવનમાં જ્યાં લોકો પોતાની સુવિધા અને આરામને મહત્ત્વ આપે છે, ત્યાં આ પરિવાર પ્રાણીઓના ભૂખ્યા પેટને પ્રાથમિકતા આપે છે. વિશેષ વાત એ છે કે આટલી મોટી સેવા છતાં કિશોરભાઈને કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ, સન્માન કે દેખાડાની ઈચ્છા નથી. તેઓ માને છે કે સેવા માટે નામ અને યશની જરૂર નથી. “માત્ર ગૌસેવા એ જ મારો મંત્ર છે” આ ભાવના સાથે તેઓ સતત કાર્યરત છે. સમાજમાં અનેક સેવાકાર્યો થાય છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી, કોઈ લાભની અપેક્ષા વગર અને વર્ષો સુધી અવિરત સેવા કરવી ખરેખર દુર્લભ છે.

આ પણ વાંચો: સુરતનો પ્રખ્યાત પોંક! 100 વર્ષથી સ્વાદ અકબંધ, એક કિલોના 360 રૂપિયા ભાવ 

ધારી વિસ્તારમાં જ્યારે પણ કોઈ ગાય તકલીફમાં હોય, લોકો સૌપ્રથમ કિશોરભાઈને યાદ કરે છે. તેઓ માત્ર ગૌસેવક નથી, પરંતુ માનવતા અને કરુણાનો જીવંત દાખલો છે. આજના સમયમાં જ્યાં સંવેદનશીલતા ઘટતી જાય છે, ત્યાં કિશોરભાઈ જેવી વ્યક્તિઓ સમાજને સાચો માર્ગ દર્શાવે છે. ખરેખર, કિશોરભાઈ વરમોરાની 40 વર્ષની અવિરત ગૌસેવા સરાહનીય, પ્રેરણાદાયક અને ઉચ્ચ કક્ષાની છે. તેમની સેવા માત્ર પ્રાણીઓને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને કરુણા, સહાનુભૂતિ અને માનવતાનો સંદેશ આપે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *