રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. 7 વર્ષની માસૂમ પર દુષ્કર્મ આચરનાર દાનવને કોર્ટે સજા એ મોત ફરમાવી છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે નરાધમ રામસિંગ તેરસિંગને માત્ર 43 જ દિવસમાં ફાંસીની સજાનું ફરમાન કર્યું છે. મહત્વનું છે કે આરોપીએ 4 ડિસેમ્બરના રોજ 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, અહીંથી નહીં અટકતા તેણે લોખંડનો સળીઓ બાળકીના ગુપ્તાંગમાં નાંખીને ઈજાઓ પહોંચાડી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં જ પોલીસ તાબડતોબ એક્શનમાં આવી અને આરોપીને દબોચીને 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી કરી હતી.
Source link
