રાજકારણ, યુદ્ધ અને ગુનાઓ, રમતગમત અને રમતો, વ્યાપાર અને નાણાં, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ, પ્રશિક્ષણ, સંશોધન, યુદ્ધ અને ગુનાઓ પર તાજેતરના અને તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર અને મંતવ્યો પૂરા પાડતા ન્યૂઝ પોર્ટલ માટે નિર્ભય, તાજા, વાજબી, પ્રથમ, આગળ વિજ્ઞાન અને કાલ્પનિક, ધર્મ, જ્યોતિષ, જીવનશૈલી, જોક્સ અને રમૂજ અને રમુજી વિડીયો, વાયરલ વિડીયો અને નકલી સમાચાર
13 અને 30 ઓગસ્ટે ગુરુ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓને થશે મોટો ફાયદો ! – Gujarati Information | Jupiter will change constellations on August 13 and 30, these zodiac indicators will profit tremendously – Jupiter will change constellations on August 13 and 30, these zodiac indicators will profit tremendously
જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને અતિ મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં ભાગ્ય ઉન્નતિ પામે છે. 27 નક્ષત્રોમાંથી પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રોના સ્વામી ગુરુ છે. ઓગસ્ટ મહિનામાં ગુરુ બે વખત નક્ષત્ર પરિવર્તન કરશે.
1 / 6
પહેલી વાર 13 ઓગસ્ટ 2025ના રોજ તેઓ પુનર્વસુ નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 30 ઓગસ્ટે બીજા પદમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ, ગુરુની આ દ્વિપરિવર્તન ગતિ કેટલીક રાશિઓ માટે શુભફળદાયી સાબિત થશે.
2 / 6
વૃષભ રાશિના જાતકો પર ગુરુની વિશેષ કૃપા રહેશે, જેના પરિણામે કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થશે અને પદ તથા પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા આવક સ્ત્રોતોથી આર્થિક લાભ મળશે, જેના કારણે સંપત્તિમાં વધારો શક્ય બનશે. ઘરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ શકે છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે.
3 / 6
સિંહ રાશિના જાતકોની સંપત્તિમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. દાંપત્ય જીવનની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે. જીવન વધુ સુખદ અને આરામદાયક બનશે. સૂર્ય ગોચરના પ્રભાવથી નવા આવક સ્ત્રોતોથી નાણાકીય લાભ મળશે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધશે. તેથી પૈસા ખર્ચવામાં ઉતાવળ ન કરવા સલાહ આપવામાં આવે છે.
4 / 6
વૃશ્ચિક રાશિના લોકોને વ્યવસાયના વિસ્તરણ માટે નવી તક મળશે. લાંબા સમયથી ચાલતી આરોગ્ય સમસ્યાઓમાં રાહત અનુભવાશે. કારકિર્દીમાં અપેક્ષિત સફળતા પ્રાપ્ત થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા કરેલા પ્રયત્નો ફળ આપશે.પરિવારિક જીવનમાં સુખ-શાંતિ અને સંતોષનો માહોલ રહેશે.
5 / 6
ધન રાશિના જાતકોને ઓફિસમાં તમારા ઉત્તમ કાર્યની પ્રશંસા મળશે અને જમીન અથવા વાહન ખરીદવાનો મોકો મળી શકે છે. જૂના રોકાણોથી સારો નફો મળશે, જેના કારણે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. તમારી મહેનતનું ફળ તમામ કાર્યોમાં સફળતા રૂપે મળશે. સૂર્ય દેવની કૃપાથી આત્મવિશ્વાસ વધશે અને ઓફિસમાં પ્રમોશન અથવા મૂલ્યાંકન વધવાની સંભાવના રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )
6 / 6
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.