નરોડા વિસ્તારમાં શ્રી રાંદલ માતા સમિતિના સભ્યોએ નવતર પ્રયોગ કરીને સમાજને નવી રાહ ચીંધી છે. ઉત્તરાયણ પછીના નકામા પતંગના દોરને કારણે થતા જોખમને ધ્યાનમાં રાખીને એક અદ્ભુત અને પ્રેરણાદાયી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે એક કિલો નકામી પતંગની દોરી આપવા બદલ પાંચ કિલો ખાંડ આપવાની યોજના રાખવામાં આવી છે. આ નવતર પ્રયોગને લોકોમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે માત્ર બે કલાકમાં 160 કિલોથી વધુ દોરા એકત્ર થયો અને સામે 900 કિલોથી વધુ ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Source link
