હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ગેસના બાટલા ખૂટ્યા, શું હવે બહાર જમવાનું બંધ થશે?

હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં ગેસના બાટલા ખૂટ્યા, શું હવે બહાર જમવાનું બંધ થશે?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

વિશ્વના ખૂણે ખૂણે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે રાજકોટના હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં સંભળાઈ રહ્યા છે. એક તરફ શાપર-વેરાવળના ઉદ્યોગો ગેસ કાપનો સામનો કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ શહેરના કોમર્શિયલ LPG ગ્રાહકોને મળેલા એક આંચકાજનક ઇ-મેઇલે ચિંતામાં વધારો કર્યો છે. આ ઇ-મેઇલ મુજબ, આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવી દેવામાં આવ્યો છે.

+

કોમર્શિયલ

કોમર્શિયલ LPG સપ્લાયથી વ્યવસાય પર અસર

રાજકોટ: વિશ્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ધીમે ધીમે ભારત સહિત ગુજરાત સુધી જોવા મળી રહી છે. રાજકોટમાં કોમર્શિયલ LPG ગેસ સપ્લાય અંગે મળેલા એક ઇ-મેઇલને કારણે રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાયીઓમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ નવો આદેશ ન થાય ત્યાં સુધી કોમર્શિયલ LPG સપ્લાય ન કરવા અંગે સૂચના આપવામાં આવી છે. આ પરિસ્થિતિને કારણે શહેરના અનેક રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાયીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

રાજકોટ શહેરમાં રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે એક નવી ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરમાં કોમર્શિયલ LPG ગેસ સપ્લાય અંગે મળેલા એક ઇ-મેઇલને કારણે વ્યવસાયીઓમાં અનિશ્ચિતતા અને ચિંતા વધી રહી છે. મળતી માહિતી મુજબ નવો આદેશ ન થાય ત્યાં સુધી કોમર્શિયલ LPG સપ્લાય ન કરવા અંગે સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને કારણે શહેરના અનેક રેસ્ટોરન્ટ, હોટલ અને ખાણીપીણીના ધંધા સાથે જોડાયેલા લોકોમાં ગૂંચવણનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેપારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોરોના મહામારીના કારણે રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગને ભારે નુકસાન થયું હતું. લાંબા સમય સુધી લોકડાઉન અને પ્રતિબંધોના કારણે અનેક વ્યવસાયીઓ આર્થિક રીતે નબળા બન્યા હતા. કોરોના બાદ જ્યારે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનવા લાગી ત્યારે વેપારીઓએ ફરીથી પોતાના ધંધાને ઊભો કરવાની કોશિશ શરૂ કરી હતી. ઘણા રેસ્ટોરન્ટ અને હોટલો ફરી શરૂ થયા અને ધીમે ધીમે ગ્રાહકોની અવરજવર પણ વધવા લાગી હતી. પરંતુ વેપારીઓનું કહેવું છે કે હજુ કોરોના પછી ધંધો પૂરેપૂરો પાટા પર આવ્યો પણ નથી ત્યાં આ કોમર્શિયલ LPG સપ્લાય ન કરવા અંગેનો ઇ-મેઇલ મળતા ફરીથી ચિંતા વધવા લાગી છે. રેસ્ટોરન્ટ અને હોટલ માટે ગેસ સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત છે. રસોઈ બનાવવાની સમગ્ર પ્રક્રિયા ગેસ પર આધારિત હોવાથી જો ગેસ સપ્લાય બંધ થાય તો વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની શકે છે.

વેપારીઓ જણાવે છે કે હાલમાં તેમની પાસે માત્ર એકથી બે દિવસ જેટલો જ ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે. જો આ સ્ટોક પૂરો થઈ જશે અને નવા સિલિન્ડરની સપ્લાય નહીં મળે તો રેસ્ટોરન્ટ અને હોટલ બંધ કરવાની નોબત આવી શકે છે. આ પરિસ્થિતિમાં કર્મચારીઓ પર પણ તેની સીધી અસર પડશે કારણ કે અનેક લોકોની રોજી-રોટી આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો ખાણીપીણીના ધંધા પર ગંભીર અસર પડી શકે છે. શહેરમાં અનેક નાના-મોટા રેસ્ટોરન્ટ, ઢાબા અને ફૂડ સેન્ટરો છે જ્યાં રોજ હજારો લોકો ભોજન માટે આવે છે. જો ગેસ સપ્લાયમાં વિક્ષેપ આવશે તો માત્ર વેપારીઓ જ નહીં પરંતુ સામાન્ય લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો: ઉનાળામાં પશુઓનું દૂધ ઘટી ગયું છે? ડૉ. અમીનની આ ટિપ્સ અપનાવો, ગરમીમાં પણ પશુ રહેશે હેલ્ધી

વેપારીઓ સરકાર અને સંબંધિત વિભાગોને વિનંતી કરી રહ્યા છે કે આ મુદ્દે વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે અને ગેસ સપ્લાય અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. વેપારીઓનું કહેવું છે કે તેઓ પહેલાથી જ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે અને હવે જો ગેસ સપ્લાયમાં અડચણ આવશે, તો ધંધા પર વધુ અસર પડી શકે છે. આ પરિસ્થિતિને કારણે રાજકોટના રેસ્ટોરન્ટ વ્યવસાયીઓમાં હાલ ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સરકાર અથવા સંબંધિત કંપનીઓ તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તે પર સમગ્ર ઉદ્યોગની નજર ટકેલી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *