દ્વારકાના હર્ષદના દરિયાકાંઠે સ્થાનિક ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનારા પકડાઈ ગયા છે. પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓએ મહાશિવરાત્રિના આગલા દિવસે મંદિરમાંથી શિવલિંગ ચોરીને 500 કિમીથી વધુ દૂર સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા પોતાના ગામમાં પહોંચાડ્યું અને ઘરે જ શિવલિંગ સ્થાપિત કરી દીધું હતુ. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે ભત્રીજીને સપનું આવ્યું હતું અને તેણે કહ્યું કે દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસે દરિયાકિનારે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ઘરમાં સ્થાપશો તો ખૂબ જ પ્રગતિ અને લાભ થશે. ભત્રીજીની વાત માનીને શ્રદ્ધાના નામે પરિવારજનો ચોરીને અંજામ આપ્યો હતો.
Source link
