હચમચાવી નાખતી ઘટના: લગ્નના 6 મહિનામાં પત્નીની હત્યા, લાશને ખેતરમાં દાટી ઉપર ઘઉં વાવી દીધા

હચમચાવી નાખતી ઘટના: લગ્નના 6 મહિનામાં પત્નીની હત્યા, લાશને ખેતરમાં દાટી ઉપર ઘઉં વાવી દીધા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

નાલંદા જિલ્લાના માનપુર વિસ્તારના લોટન ગામમાં દહેજની માગને લઈને એક નવપરિણીત મહિલાની નિર્મમ હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.

News18
News18

નાલંદા: બિહારના નાલંદામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નવપરિણીતના લગ્નના 6 મહિના બાદ હત્યા કરી નાખી અને લાશને ખેતરમાં દાંટી તેના પર ઘઉં વાવી દીધા હતા. આ મહિલાની ઉંમર ખાલી 20 વર્ષ હતી.

શું છે સમગ્ર મામલો

નાલંદા જિલ્લાના માનપુર વિસ્તારના લોટન ગામમાં દહેજની માગને લઈને એક નવપરિણીત મહિલાની નિર્મમ હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. હત્યા બાદ આરોપીઓએ લાશને બહુઆરા ગામના એક ખેતરમાં દફનાવી તેના પર ઘઉં વાવી દીધા હતા. જેનાથી પૂરાવાનો નાશ કરી શકાય. મૃતકની ઓળખ લોટન ગામની નિવાસી મનીષ કુમારની પત્ની સવિતા કુમારી થઈ છે.

મૃતકના પિયર પક્ષના લોકોએ રવિવારની બપોરે લગભગ 1 વાગ્યે જણાવ્યું કે સવિતા કુમારીના લગ્ન 1 જૂન 2025ના રોજ મનીષ કુમાર સાથે હિન્દુ રીતિ રિવાજ અનુસાર થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ સાસરિયા પક્ષ દ્વારા બાઈક અને સોનાની ચેનની માગને લઈને સવિતાને સતત પ્રતાડિત કરવા લાગ્યા. આ દરમ્યાન તેની સાથે મારપીટ કરવાની વાત પણ સામે આવી છે.

પરિવારે જણાવ્યું કે થોડા દિવસ પહેલા અચાનક સવિતાનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો, જેનાથી પરિવારને કંઈક અઘટિત ઘટનાની આશંકા થઈ. જે બાદ સવિતાના ભાઈ જ્યારે લોટન ગામમાં પહોંચ્યા તો જોયું કે સાસરિયાનું ઘર બંધ હતું અને પતિ સહિત પરિવારના લોકો ગાયબ હતા.

ઘણી શોધખોળ કર્યા બાદ જ્યારે સવિતાનો કોઈ પત્તો લાગ્યો નહીં તો 5 ડિસેમ્બર 2025ના રોજ માનપુર વિસ્તારમાં દહેજ હત્યાનો મામલો નોંધાયો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં લાગી ગઈ. પોલીસે 14 જાન્યુઆરી 2026ના રોજ મુખ્ય આરોપી પતિ મનીષની ધરપકડ કરી લીધી, પણ તે સમય સુધીમાં લાશ મળી નહોતી.

પોલીસ આરોપી સાથે સતત પૂછપરછ કરતી રહી. આ દરમ્યાન માનપુર પોલીસને ગુપ્ત સૂચના મળી કે સવિતાની લાશ બહુઆર ગામના એક ખેતરમાં દફનાવેલી છે. સૂચનાના આધાર પર શનિવારની સાંજે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખોદકામ કર્યું, જ્યાં જમીનની અંદર સવિતાની લાશ દફનાવેલી હતી.

લાશ મળવાની સૂચના મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. રવિવારની બપોરે મૃતકના પિયર પક્ષના લોકો પહોંચ્યા. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોડલ હોસ્પિટલમાં લાવ્યા. મોડલ હોસ્પિટલમાં લાશ પહોંચતા જ પરિવારની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ. પરિવારે આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગ કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે અન્ય આરોપીઓને પકડવા માટે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *