સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય, અમદાવાદ ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી લંબાયો

સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય, અમદાવાદ ફ્લાવર શો 29 જાન્યુઆરી સુધી લંબાયો

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે. — વસ્ત્રાલથી રામોલ ટોલનાકા સુધી 4.1 કિ.મી. નવી ડ્રેનેજ લાઇન નંખાશે. શહેરના 100 જંકશનોનું બ્યુટિફિકેશન, 19 તૈયાર, 40 પર કામગીરી ચાલુ, જગન્નાથ મંદિર માર્ગ પરના ફેરિયા અને કામચલાઉ દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવશે.

અમદાવાદ ફ્લાવર શો
અમદાવાદ ફ્લાવર શો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન આ વખતે 16 જાન્યુઆરી 2026ને શુક્રવારે થયું હતું. જેમાં શહેરના વિકાસ અંગેના મહત્ત્વના નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મિડિયા સાથે આ ખાસ મુદ્દાઓની વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 1 જાન્યુઆરીના રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકાયો હતો. જેનો શહેરીજનો દ્વારા દિન-પ્રતિદિન અદ્દભૂત પ્રતિસાદ મળ્યો છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે 60,000 કરતાં વધારે લોકોએ આ ફ્લાવર શોને જોવા અને માણવા હાજરી આપી હતી. જેથી લોક લાગણીને માન આપી અને વધુ માત્રામાં લોકો ફ્લાવર શો જોવા માટે આવે તે માટે ફ્લાવર શોને એક અઠવાડિયા સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ ફ્લાવર શોને 22 જાન્યુઆરી સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ અમદાવાદની જનતાના અદ્દભૂત પ્રતિસાદ અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવતી એનઆરઆઇ જનતાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને 29 જાન્યુઆરી સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેનો લોકો લાભ લઈ શકે છે.

આ ઉપરાંત મહાનગરમાં પાર્કિંગની સમસ્યા વિશે ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, પાર્કિંગની સમસ્યાનું નિરાકરણ લાવવા સિંધુભવન મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદ નગર મલ્ટી લેવલ પાર્કિંગ તેમજ દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ વગેરેને જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યા છે. ટૂંક સમયમાં મધ્ય ઝોનમાં દાણાપીઠ પાર્કિંગ પણ ખુલ્લો મૂકવામાં આવશે. પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. તદ્દઉપરાંત મહાનગરપાલિકા દ્વારા અપાયેલા પાર્કિંગ પ્લોટ 60 જેટલા છે જેને વધારીને બીજા 20 જેટલા પાર્કિંગ પ્લોટ માટેના પ્લોટને આઇડેન્ટિફાઇ કર્યા છે. પરંતુ કેટલીક જગ્યાએ કોમર્શિયલ એકમોમાં અંદર જગ્યા હોવા છતાં બહારના વાહનોને અંદર આવવા દેવામાં આવતા નથી. જે માટે મહાનગરપાલિકા દ્વારા આ કોમર્શિયલ યુનિટ સામે અંદરની બાજુએ પાર્કિંગ ન કરવા દેવા બદલ એક્શન લેવામાં આવશે. જેથી રોડ પર આ વાહનો ગમે તેમ પાર્ક કરેલા રહે નહીં અને સુરક્ષિત જગ્યાએ વાહનોનું પાર્કિંગ થાય.

વધુમાં ચેરમેનએ જણાવ્યું કે, અમદાવાદમાં પૂર્વઝોનમાં ડ્રેનેજની લાઈનો હાલમાં નખાઈ રહી છે અને એમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માઈક્રો ટનેલિંગ પદ્ધતિ એશિયામાં સૌપ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકાની અંદર શરૂ કરવામાં આવી છે. હાલમાં જ 27 કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઈન ખુલ્લી મૂકવામાં આવી, જેથી પશ્ચિમ ઝોનના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. એવી જ રીતે પૂર્વ પટ્ટાની અંદર પણ વસ્ત્રાલથી શરૂ કરી રામોલ ટોલનાકા સુધી 4.1 કિલોમીટર સુધી ટ્રાફિકને કોઈપણ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય તે ધ્યાનમાં રાખીને 1200મી. ડાયાની આ લાઈન નાખવામાં આવશે. પૂર્વમાં આ રીતે ડ્રેનેજ લાઈન નાખવાને પરિણામે વસ્ત્રાલ અને રામોલ આ બધા જ વિસ્તારમાં બેટિંગના જે પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો સોલ્વ થશે અને 3 થી 4 લાખની વસ્તીને આ ડ્રેનેજમાંથી છુટકારો મળશે.

આ ઉપરાંત શહેરના જંકશનો પર વાહન ચાલકો ઊભા રહે ત્યારે આ જંકશનો સુશોભિત લાગે તેવા પ્રયત્નોનું આયોજન છે. આ જંકશનોના બ્યુટીફિકેશન ઉપરાંત શહેરમાં 100 જંકશનોને આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે, જેમાંથી 19 જેટલા જંકશન તૈયાર થઈ ગયા છે અને અન્ય 40 જેટલા જંકશનોને તૈયાર કરવાની કામગીરી હાલ ચાલુ છે. આ જંકશનોમાં પાંજરાપોલ, ઇન્કમટેક્સ જેવા જંકશનોનો સમાવેશ થાય છે. આવનારા બજેટમાં આ જંકશનોના બ્યુટિફિકેશન વિશે વધુ વાતચીત થશે.

વધુમાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, જગન્નાથ મંદિરે આવતા જતા લોકો માટે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા આ રોડ પર કામ ચલાવતા શાકભાજી, ફૂલોના વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણો કરાયા છે. જેમને યોગ્ય જગ્યા આપી હોવા છતાં આ બધા વેપારીઓ રોડ પર આવી જાય છે જેથી લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી. તે માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર થયેલી ચર્ચા અનુસાર આ દબાણો દૂર કરવામાં આવશે. જેથી લોકો સહેલાઈથી જઈ શકે તે માટે રસ્તો ક્લિયર કરવામાં આવશે અને ત્યાં રહેલા છૂટા કામ ચલાવતા દબાણોને દૂર કરવામાં આવશે.

આ ઉપરાંત ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આગામી 19 તારીખે સોમવારના રોજ અપીલ કમિટી મળશે, જેમાં કામદારો ઉપર એક્શન લેવામાં આવેલા હોઈ એમનું હિયરિંગ કરવામાં આવશે. અપીલ કમિટીના ચાર મેમ્બરો અને ચેરમેનની અધ્યક્ષતામાં કર્મચારી પર એક્શન લેવામાં આવ્યા છે અને પરિણામે નોકરીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો એ કર્મચારીને બોલાવીને તેમનું સાચું કારણ જાણવામાં આવશે. હકીકતમાં એમનું કારણ જો સાચું હોય તો તેમને નોકરી પર પરત લેવામાં આવતા હોય છે. ઘણીવાર મેડિકલના કારણે લાંબી રજા પર રહ્યા હોય કે લાંબી માંદગીના કારણે રજા પર રહ્યા હોય કે અન્ય સામાજિક કારણને લીધે એમના કારણો જો સચોટ હોય તો એમને નોકરી પર આપણે પરત લઈશું, તે માટે કમિટી આગામી સોમવારના રોજ મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *