સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું

સીએમ યોગીનું અપમાન સહન કરીશ નહીં: અયોધ્યામાં તૈનાત ડેપ્યુટી કમિશ્નરે પદ પરથી રાજીનામું આપી દીધું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પ્રશાંતનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે.

gst deputy commissioner resigns
gst deputy commissioner resigns

લખનઉ: અયોધ્યામાં તૈનાત GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે જ્યોતિષ્પીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૂપી સીએમ યોગી આદિત્યનાથ પર જે વિવાદિત ઔરંગઝેબવાળી ટિપ્પણી કરી છે, તેનાથી તેઓ ત્રણ દિવસ સુધી માનસિક રીતે આઘાતમાં રહ્યા હતા. જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના મુખ્યમંત્રીનું અપમાન તેઓ કોઈ પણ હાલતમાં સ્વીકાર નહીં કરી શકે, એટલા માટે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. પ્રશાંત કુમારે એવું પણ કહ્યું કે જે રાજ્યનું તેઓ નમક ખાય છે અને જ્યાંથી પગાર લે છે, તેમનું નેતૃત્વ કરનારા વ્યક્તિ વિરુદ્ધ એક પણ શબ્દ સાંખી લેશે નહીં.

જો કે, શંકરાચાર્ય અને યોગી આદિત્યનાથ વચ્ચે વિવાદને લઈને આ પહેલું રાજીનામું નથી, આ અગાઉ બરેલીના જિલ્લા મજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પણ UGC નિયમો અને યોગી દ્વારા શંકરાચાર્યના અપમાનનો વિરોધ કરતા સોમવારે, 26 જાન્યુઆરીના રોજ રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ ક્રમમાં હવે પ્રશાંત કુમાર સિંહનું નામ પણ જોડાઈ ગયું છે, પણ તેમનો પક્ષ બીજો છે. પ્રશાંતનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં તેમણે આ નિર્ણય લીધો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલને મોકલેલા બે પાનાના પોતાના રાજીનામામાં પ્રશાંત લખે છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાજ્યના મુખ્યમંત્રી છે અને તેમનું અપમાન કોઈ પણ સ્થિતિમાં સ્વીકારી શકાય નહીં. જે રાજ્યનું હું નમક ખાઉં છું, જ્યાંથી મને વેતન મળે છે, હું એ રાજ્ય અને તેમના નેતૃત્વનો પક્ષધર છું.

પત્રમાં ડેપ્યુટી કમિશ્નરે આગળ જણાવ્યું કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની ટિપ્પણીથી તેઓ છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે આઘાત અનુભવી રહ્યા હતા, જેના કારણે તેમને આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે. પ્રશાંતે સ્પષ્ટ કર્યું છે કે આ રાજીનામું તેમણે કોઈના દબાણમાં નહીં પણ આત્મસન્માન અને પોતાના વિચારોના આધાર પર આપ્યું છે.

પ્રશાંત કુમાર સિંહની અયોધ્યામાં પોસ્ટિંગ વર્ષ 2023માં થઈ હતી. તેઓ રાજ્યકર વિભાગના ડેપ્યુટી કમિશનરના પદ પર તૈનાત હતા. તેમનો એક વીડિયો પણ વાયરલ છે. જેમાં તેઓ પોતાની પત્ની સાથે ફોન પર વાત કરતા રડતા દેખાઈ રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *