સાધ્વી પ્રેમ બાઈસાનું રહસ્યમય મોતઃ આશ્રમથી હોસ્પિટલ સુધી અનેક સવાલો, પોસ્ટમોર્ટમથી ખુલશે રહસ્ય

સાધ્વી પ્રેમ બાઈસાનું રહસ્યમય મોતઃ આશ્રમથી હોસ્પિટલ સુધી અનેક સવાલો, પોસ્ટમોર્ટમથી ખુલશે રહસ્ય

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Sadhvi Prem Baisa Demise: રાજસ્થાનના જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસાના નિધન સંબંધિત કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. પોલીસ કમિશનર ઓમપ્રકાશના નિર્દેશન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરતાં સાધ્વીને ઈન્જેક્શન લગાવનાર કમ્પાઉન્ડરને કસ્ટડીમાં લીધો છે.

સાધ્વી પ્રેમ બાઈસાનુંમોત કેવી રીતે થયું?
સાધ્વી પ્રેમ બાઈસાનુંમોત કેવી રીતે થયું?

Sadhvi Prem Baisa Demise: સાધ્વી પ્રેમ બાઈસાનું જોધપુરમાં મૃત્યુ થયું છે, જે અંગે તેમના પિતા બ્રહ્મનાથે મોટો ખુલાસો કર્યો છે. પિતાએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી પ્રેમ બાઈસાને ઉધરસ-શરદી થઈ હતી. તેથી આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવવામાં આવ્યો હતો. કમ્પાઉન્ડરે પ્રેમ બાઈસાની તપાસ કર્યા બાદ તેમને ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શન લગાવ્યા પછી માત્ર 5 મિનિટમાં જ પ્રેમ બાઈસાની તબિયત વધુ બગડી ગઈ અને તેમનું મોત થયું. પિતાએ એવું પણ જણાવ્યું કે, પ્રેમ બાઈસાના મૃત્યુ પછી તેમના મોબાઈલ ફોનમાંથી મેસેજ કેવી રીતે મોકલાયો?

આશ્રમને પોલીસે સીલ કર્યું

રાજસ્થાનના જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસાના નિધન સંબંધિત કેસમાં પોલીસે તપાસ તેજ કરી દીધી છે. પોલીસ કમિશનર ઓમપ્રકાશના નિર્દેશન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરતાં સાધ્વીને ઈન્જેક્શન લગાવનાર કમ્પાઉન્ડરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હાલ કમ્પાઉન્ડરની પૂછપરછ કરી રહી છે અને કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાની વાત પણ સામે આવી રહી છે. પૂછપરછ બાદ પોલીસે ઈન્જેક્શન સહિત સંબંધિત તમામ મેડિકલ સામગ્રી કબજે લઈ લીધી છે. આ ઉપરાંત પુરાવાઓ સાથે છેડછાડ ન થાય તે માટે આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું છે.

ઈન્જેક્શન લાગ્યા પછી 5 મિનિટમાં જ સાધ્વીએ તોડ્યો દમ

મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોવા મળ્યા, જ્યાં સાધ્વી પ્રેમ બાઈસાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ ખાતે મીડિયા સાથે વાત કરતાં સાધ્વીના પિતા બ્રહ્મનાથે અનેક મહત્વના તથ્યો સામે રાખ્યા છે. તેમણે જણાવ્યું કે, ઉધરસ-શરદીની ફરિયાદને કારણે આશ્રમમાં કમ્પાઉન્ડરને બોલાવવામાં આવ્યો હતો. ઈન્જેક્શન લાગ્યા પછી માત્ર પાંચ મિનિટમાં જ પ્રેમ બાઈસાએ દમ તોડ્યો હતો.

સાધ્વીના ફોનમાંથી કોને મેસેજ કરાયો?

પિતાએ એ સ્વીકાર્યું કે, સાધ્વીના મોબાઈલ ફોનમાંથી મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સાધ્વીના કહેવા પર જ કોઈ સાથી ગુરુ મહારાજ દ્વારા તેમના મોબાઈલમાંથી મેસેજ લખવામાં આવ્યો હતો. પિતા બ્રહ્મનાથે આખા મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ પોલીસનું કહેવું છે કે, કમ્પાઉન્ડરને હિરાસતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ પર ગંભીરતાથી તપાસ ચાલુ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *