માહિતી મુજબ, આ સુસાઈડ નોટમાં મૃતક ઋષભે લખ્યું હતું કે, ‘તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખ્સના દ્વારા પૈસાની લેતીદેતીના મામલે ચાર શખ્સોએ તેને ગામની વચ્ચે ઢોર માર માર્યો હતો અને તેઓ સતત ટોર્ચર કરતા હોવાથી સાર્વજનિક અપમાન અને શારીરિક-માનસિક ત્રાસ સહન ન થતા તેણે મોતને વ્હાલું કર્યું છે. આટલું જ નહીં, ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું છે કે, ‘હેલી બેટા ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે.’

