રેલવે ટ્રેક પર દેખાતા T/P અને T/G ના ચિહ્નો શું દર્શાવે છે ? તમે નહીં જાણતા હોવ.. – Gujarati Information | What do the TP and TG indicators on the railway tracks point out Chances are you’ll not know – What do the TP and TG indicators on the railway tracks point out Chances are you’ll not know

રેલવે ટ્રેક પર દેખાતા T/P અને T/G ના ચિહ્નો શું દર્શાવે છે ? તમે નહીં જાણતા હોવ.. – Gujarati Information | What do the TP and TG indicators on the railway tracks point out Chances are you’ll not know – What do the TP and TG indicators on the railway tracks point out Chances are you’ll not know

વિડિઓ VIDEO
Spread the love


ભારતીય ટ્રેનોમાં મુસાફરી દરમિયાન તમે રેલવે ટ્રેકની બાજુમાં વિવિધ પ્રકારના સૂચનાત્મક બોર્ડ જોયા હશે. આ બોર્ડ પર કેટલાક અજીબ અને સંક્ષિપ્ત કોડ લખેલા હોય છે, જેને મોટાભાગના મુસાફરો સમજી શકતા નથી. ઘણી વાર મુસાફરી પૂર્ણ થઈ જાય છે, છતાં આ કોડનો અર્થ અજાણ્યો જ રહી જાય છે. આજે અમે તમને રેલવે ટ્રેક પાસે લગાવવામાં આવતા આવા જ એક ખાસ કોડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે બોર્ડ પર T/P અને T/G કેમ લખવામાં આવે છે? જો નહીં, તો આજે તમે તેનો અર્થ જાણી લેશો.

ભારતીય ટ્રેનોમાં મુસાફરી દરમિયાન તમે રેલવે ટ્રેકની બાજુમાં વિવિધ પ્રકારના સૂચનાત્મક બોર્ડ જોયા હશે. આ બોર્ડ પર કેટલાક અજીબ અને સંક્ષિપ્ત કોડ લખેલા હોય છે, જેને મોટાભાગના મુસાફરો સમજી શકતા નથી. ઘણી વાર મુસાફરી પૂર્ણ થઈ જાય છે, છતાં આ કોડનો અર્થ અજાણ્યો જ રહી જાય છે. આજે અમે તમને રેલવે ટ્રેક પાસે લગાવવામાં આવતા આવા જ એક ખાસ કોડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો કે બોર્ડ પર T/P અને T/G કેમ લખવામાં આવે છે? જો નહીં, તો આજે તમે તેનો અર્થ જાણી લેશો.

1 / 8

ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે તેના માળખાગત વિકાસમાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે. આ પ્રક્રિયામાં વંદે ભારત તથા અમૃત ભારત જેવી આધુનિક ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. સાથે સાથે ‘પીએમ ગતિશક્તિ’ યોજના અંતર્ગત માળખાકીય વિસ્તરણ, બ્રોડગેજ માર્ગોના લગભગ 96.59 ટકા વીજળીકરણ, આધુનિક ટેકનોલોજીનો સમાવેશ અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રેલવે ક્ષેત્રમાં થયેલી આ ઝડપી પ્રગતિના પરિણામે ભારતીય રેલવે આજે વિશ્વના સૌથી મોટા અને મહત્વપૂર્ણ રેલ નેટવર્ક્સમાં સ્થાન પામ્યું છે. ( Credits: Getty Images )

ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે તેના માળખાગત વિકાસમાં ઝડપથી પરિવર્તન લાવી રહી છે. આ પ્રક્રિયામાં વંદે ભારત તથા અમૃત ભારત જેવી આધુનિક ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. સાથે સાથે ‘પીએમ ગતિશક્તિ’ યોજના અંતર્ગત માળખાકીય વિસ્તરણ, બ્રોડગેજ માર્ગોના લગભગ 96.59 ટકા વીજળીકરણ, આધુનિક ટેકનોલોજીનો સમાવેશ અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રેલવે ક્ષેત્રમાં થયેલી આ ઝડપી પ્રગતિના પરિણામે ભારતીય રેલવે આજે વિશ્વના સૌથી મોટા અને મહત્વપૂર્ણ રેલ નેટવર્ક્સમાં સ્થાન પામ્યું છે. ( Credit: Getty Photos )

2 / 8

મુસાફરોને માર્ગદર્શન અને સુરક્ષા માટે ભારતીય રેલવે વિવિધ પ્રકારના સૂચક બોર્ડ સ્થાપિત કરે છે. આ બોર્ડ પર દર્શાવેલા ખાસ કોડ્સ દ્વારા મુસાફરોને જરૂરી જાણકારી મળે છે. આ સૂચનાઓ માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ ટ્રેન ચલાવતા લોકો પાઇલટ્સ માટે પણ અત્યંત મહત્વની હોય છે. ઉદાહરણ તરીકે, રેલવે ટ્રેક પાસે લખાયેલું C/Fa કોડ લોકો પાઇલટને સૂચવે છે કે આગળ લેવલ ક્રોસિંગ ગેટ આવેલો છે અને ત્યાં હોર્ન વગાડવો જરૂરી છે. તેવી જ રીતે W/L જેવા અન્ય કોડ્સ પણ હોય છે, જે સામાન્ય લોકો માટે સમજવા મુશ્કેલ હોય છે, પરંતુ રેલવે સ્ટાફ માટે ખાસ અર્થ ધરાવે છે. (Credits: - Canva)

મુસાફરોને માર્ગદર્શન અને સુરક્ષા માટે ભારતીય રેલવે વિવિધ પ્રકારના સૂચક બોર્ડ સ્થાપિત કરે છે. આ બોર્ડ પર દર્શાવેલા ખાસ કોડ્સ દ્વારા મુસાફરોને જરૂરી જાણકારી મળે છે. આ સૂચનાઓ માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ ટ્રેન ચલાવતા લોકો પાઇલટ્સ માટે પણ અત્યંત મહત્વની હોય છે. ઉદાહરણ તરીકે, રેલવે ટ્રેક પાસે લખાયેલું C/Fa કોડ લોકો પાઇલટને સૂચવે છે કે આગળ લેવલ ક્રોસિંગ ગેટ આવેલો છે અને ત્યાં હોર્ન વગાડવો જરૂરી છે. તેવી જ રીતે W/L જેવા અન્ય કોડ્સ પણ હોય છે, જે સામાન્ય લોકો માટે સમજવા મુશ્કેલ હોય છે, પરંતુ રેલવે સ્ટાફ માટે ખાસ અર્થ ધરાવે છે. (Credit: – Canva)

3 / 8

ટ્રેન દ્વારા મુસાફરી દરમિયાન પાટા પાસે ઘણી વખત ગોળ આકારના બોર્ડ પર T/G અને T/P લખેલું જોવા મળે છે. આ ચિહ્નો ગતિ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપે છે. T/G સંકેત માલગાડી માટે લાગુ કરાયેલ ગતિ મર્યાદા પૂર્ણ થવાનો અર્થ ધરાવે છે, જ્યારે T/P સંકેત મુસાફર ટ્રેનો માટે લાગુ કરાયેલ ઝડપ પ્રતિબંધ સમાપ્ત થવાનો સંદેશ આપે છે. ( Credits: Getty Images )

ટ્રેન દ્વારા મુસાફરી દરમિયાન પાટા પાસે ઘણી વખત ગોળ આકારના બોર્ડ પર T/G અને T/P લખેલું જોવા મળે છે. આ ચિહ્નો ગતિ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપે છે. T/G સંકેત માલગાડી માટે લાગુ કરાયેલ ગતિ મર્યાદા પૂર્ણ થવાનો અર્થ ધરાવે છે, જ્યારે T/P સંકેત મુસાફર ટ્રેનો માટે લાગુ કરાયેલ ઝડપ પ્રતિબંધ સમાપ્ત થવાનો સંદેશ આપે છે. ( Credit: Getty Photos )

4 / 8

આ સૂચક બોર્ડ ટ્રેનના ડ્રાઇવર માટે માર્ગદર્શનરૂપે મૂકવામાં આવે છે, જેથી તેને ખબર પડે કે ગતિ પ્રતિબંધનો વિસ્તાર હવે પૂર્ણ થયો છે અને ત્યારબાદ ટ્રેનને ફરીથી નિર્ધારિત મહત્તમ ગતિએ ચલાવી શકાય છે.

આ સૂચક બોર્ડ ટ્રેનના ડ્રાઇવર માટે માર્ગદર્શનરૂપે મૂકવામાં આવે છે, જેથી તેને ખબર પડે કે ગતિ પ્રતિબંધનો વિસ્તાર હવે પૂર્ણ થયો છે અને ત્યારબાદ ટ્રેનને ફરીથી નિર્ધારિત મહત્તમ ગતિએ ચલાવી શકાય છે.

5 / 8

આવા સૂચક બોર્ડ લગાવવાનું મુખ્ય કારણ રેલવે ટ્રેક પર ચાલતું સમારકામ અથવા કોઈ તકનીકી ખામી હોય છે. આવા વિસ્તારોમાં ટ્રેનોની સુરક્ષા માટે મહત્તમ ઝડપ સામાન્ય રીતે 30 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખવામાં આવે છે.( Credits: AI Generated )

આવા સૂચક બોર્ડ લગાવવાનું મુખ્ય કારણ રેલવે ટ્રેક પર ચાલતું સમારકામ અથવા કોઈ તકનીકી ખામી હોય છે. આવા વિસ્તારોમાં ટ્રેનોની સુરક્ષા માટે મહત્તમ ઝડપ સામાન્ય રીતે 30 કિમી પ્રતિ કલાક સુધી મર્યાદિત રાખવામાં આવે છે.( Credit: AI Generated )

6 / 8

ટ્રેનની ઝડપ નિયંત્રિત કરવા માટે T/G અથવા T/P સૂચક બોર્ડના થોડા અંતરે પહેલાં સ્પીડ ઇન્ડિકેટર બોર્ડ સ્થાપિત કરવામાં આવે છે. આ સ્પીડ બોર્ડથી અંદાજે 800 મીટર અગાઉ એક ચેતવણી સૂચક મૂકવામાં આવે છે, જે ટ્રેનના ડ્રાઇવરને આગોતરું સૂચન આપે છે કે આગળનો ટ્રેક યોગ્ય સ્થિતિમાં નથી. આ સૂચનના આધારે ડ્રાઇવર બોર્ડ પર દર્શાવેલી ગતિ મર્યાદા મુજબ ટ્રેનની ઝડપ ધીમી કરે છે. (Credits: - Canva)

ટ્રેનની ઝડપ નિયંત્રિત કરવા માટે T/G અથવા T/P સૂચક બોર્ડના થોડા અંતરે પહેલાં સ્પીડ ઇન્ડિકેટર બોર્ડ સ્થાપિત કરવામાં આવે છે. આ સ્પીડ બોર્ડથી અંદાજે 800 મીટર અગાઉ એક ચેતવણી સૂચક મૂકવામાં આવે છે, જે ટ્રેનના ડ્રાઇવરને આગોતરું સૂચન આપે છે કે આગળનો ટ્રેક યોગ્ય સ્થિતિમાં નથી. આ સૂચનના આધારે ડ્રાઇવર બોર્ડ પર દર્શાવેલી ગતિ મર્યાદા મુજબ ટ્રેનની ઝડપ ધીમી કરે છે. (Credit: – Canva)

7 / 8

આ સૂચક બોર્ડ સામાન્ય રીતે રેલવે પાટાની ડાબી બાજુ સ્થાપિત કરવામાં આવે છે. T/G ચિહ્ન ખાસ કરીને માલગાડીના લોકો પાઇલટ માટે બનાવવામાં આવે છે, જ્યારે T/P ચિહ્ન મુસાફર ટ્રેનો ચલાવતા ડ્રાઇવરોને માર્ગદર્શન આપવા માટે ઉપયોગમાં લેવાય છે.( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

આ સૂચક બોર્ડ સામાન્ય રીતે રેલવે પાટાની ડાબી બાજુ સ્થાપિત કરવામાં આવે છે. T/G ચિહ્ન ખાસ કરીને માલગાડીના લોકો પાઇલટ માટે બનાવવામાં આવે છે, જ્યારે T/P ચિહ્ન મુસાફર ટ્રેનો ચલાવતા ડ્રાઇવરોને માર્ગદર્શન આપવા માટે ઉપયોગમાં લેવાય છે.( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credit: AI Generated )

8 / 8

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *