Final Up to date:
શિવસેનાના તમામ વિજેતા કાઉન્સિલરોને બાંદ્રાની આલીશાન તાજ લેંડ્સ એન્ડ હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી છે.
Maharashtra Nikay Chunav Parinam: બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 નગર નિગમોના પરિણામ હવે સ્પષ્ટ થઈ ચૂક્યા છે. પણ મુંબઈના નવા મેયરને લઈને મહાયુતિની વચ્ચે કોકડું ગૂંચવાઈ રહ્યું છે. ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)ની મહાયુતિએ રાજ્યની 29માંથી 25 નગરપાલિકામાં પ્રચંડ જીત મેળવી છે. તો વળી બીએમસી ચૂંટણીમાં મહાયુતિને કુલ 227માંથી 118 સીટો મળી છે. જેમાં ભાજપને 89, જ્યારે શિવસેનાને 29 સીટો મળી છે. આવી રીતે મુંબઈના મેયર પદની ચૂંટણીમાં હવે શિંદે સેનાની ભૂમિકા પણ મહત્ત્વની થઈ ગઈ છે. સમાચાર તો એવા છે કે શિંદેએ તમામ નવનિર્વાચિત પાર્ષદોને ફાઈવ સ્ટાર હોટલમાં લોક કરી દીધા છે.
આ બાજુ બીએમસી ચૂંટણીમાં મળેલી હાર પર ઉદ્ધવ અને રાજ ઠાકરેએ પોતાનું મૌન તોડતા મરાઠી માનુષની લડાઈ ચાલુ રાખવાની વાત કહી છે. બીજી તરફ આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનારા અસદુદ્દીન ઓવૈસીએ વોટર લિસ્ટ અને ઈવીએમને લઈને વિપક્ષી પાર્ટીઓના આરોપોને ફગાવી દીધા છે.
શિવસેનાના તમામ વિજેતા કાઉન્સિલરોને બાંદ્રાની આલીશાન તાજ લેંડ્સ એન્ડ હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તમામ કાઉન્સિલરોને બપોરે 3 વાગ્યા સુધી હોટલમાં પહોંચવાનો આદેશ આપ્યો છે. કહેવાય છે કે મુખ્યમંત્રી શિંદેએ ચૂંટણી પરિણામો બાદ વિભાજનકારી રાજનીતિથી બચવા અને પાર્ટીની મજબૂત સ્થિતિ બનાવી રાખવા માટે આ મોટો નિર્ણય લીધો છે.
બીએમસી ચૂંટણીમાં ભાજપ-એકનાથ શિંદેની શિવસેના મહાયુતિને મળેલી જીત છતાં એકનાથ શિંદે નવા ટેન્શનમાં દેખાઈ રહ્યા છે. મુંબઈના મેયર પદ પર દાવો ઠોક્યા બાદ શિંદે સેનાએ પોતાના તમામ નવનિર્વાચિત કાઉન્સિલરોને ત્રણ દિવસ સુધી ફાઈવ સ્ટાર હોટલમાં રાખવાની તૈયારી કરી લીધી છે.
જાણકારી અનુસાર, શિંદે જૂથના તમામ નગરસેવકોને બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ બતાવાય છે કે મહાવિકાસ અઘાડી આ નગરસેવકોને પોતાના પક્ષમાં ખેંચવાની કોશિશ ન કરી શકે.
સૂત્રોનું કહેવું છે કે રાજનીતિક જોડ-તોડ અને સંભવિત તૂટ-ફૂટની આશંકાને જોતા શિંદે કેમ્પે આ પગલું ઉઠાવ્યું છે. ત્રણ દિવસ સુધી તમામ નગરસેવકોને એક જ જગ્યા પર રાખી પાર્ટી નેતૃત્વ તેમની સાથે સતત સંપર્કમાં રહેશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

