ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, એ મેચ પછી અક્ષર પટેલ સાથે વાતચીત કરવી સરળ નહોતી. તેણે કહ્યું, તે ખૂબ જ ગુસ્સામાં હતો અને તેણે થવું પણ જોઈએ. તે એક અનુભવી ખેલાડી છે અને એક ફ્રેન્ચાઈઝી ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. એવામાં નારાજ થવું સ્વાભાવિક હતુ. મેં તેની પાસે જઈને માફી માંગી. મેં કહ્યું કે, આ મારી ભૂલ હતી અને મને એનો અફસોસ છે. જો કે, આ નિર્ણય ટીમના હિતમાં લેવામાં આવ્યો હતો. આ વાતચીત સરળ નહોતી, પરંતુ આગલા દિવસે ફરી વાત કરી અને બધુ બરાબર થઈ ગયું.

