મકાનના પાયા ખોદતા ખજાનો મળ્યો, ઈમાનદારી દેખાડી સરકારમાં જમા કરાવ્યો, કિંમતી સાંભળી પરિવારે માથું પકડી લીધું

મકાનના પાયા ખોદતા ખજાનો મળ્યો, ઈમાનદારી દેખાડી સરકારમાં જમા કરાવ્યો, કિંમતી સાંભળી પરિવારે માથું પકડી લીધું

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

પ્રજ્વલે ખોદકામ દરમિયાન જમીનની નીચે દબાયેલું સોનું જ્યારે મળ્યું તો તેમાં 22 કિંમતી દાગીના હતા. તેનું કુલ વજન 466 ગ્રામ છે. પ્રજ્વલે કોઈ પણ લાલચ વિના આ બધું સોનું સરકારી અધિકારીઓના હવાલે કરી દીધું.

News18
News18

કર્ણાટકના લક્કુંડીમાં પ્રજ્વલ રિટ્ટી ઘરનું બાંધકામ કરાવી રહ્યા હતા. ખોદકામ દરમિયાન અચાનક તેમને એક બોક્સ મળ્યું, જ્યારે તેને ખોલીને જોયું તો ચોંકી ગયા. તેમાંથી સોનાના દાગીના અને સિક્કા હતા. જે ખૂબ જ જૂના હતા. પ્રજ્વલ પાસે મોકો હતો કે તે તેને પોતાની પાસે રાખી શકે, પણ તેમણે ઈમાનદારી દેખાડી અને આ ઈમાનદારી તેમના માટે મુસીબત બની ગઈ.

હકીકતમાં જોઈએ તો, પ્રજ્વલે ખજાના વિશે સ્થાનિક પ્રશાસનને જણાવ્યું. ત્યાંથી વાત સરકારી ખાતા સુધી પહોંચી. સરકારે દાગીનાની તપાસ કરાવી, પછી જે સચ્ચાઈ સામે આવી તેનાથી સરકાર ગદગદ થઈ ગઈ. પ્રજ્વલે પોતાનું માથું પીટી લીધું. કેમ કે દાગીનાની અસલી કિંમત 8 કરોડ રૂપિયા નીકળી, જે બજાર ભાવથી લગભગ 10 ગણી વધારે હતી.

બજારથી દસ ગણી વધારે કિંમત

પ્રજ્વલે ખોદકામ દરમિયાન જમીનની નીચે દબાયેલું સોનું જ્યારે મળ્યું તો તેમાં 22 કિંમતી દાગીના હતા. તેનું કુલ વજન 466 ગ્રામ છે. પ્રજ્વલે કોઈ પણ લાલચ વિના આ બધું સોનું સરકારી અધિકારીઓના હવાલે કરી દીધું. જ્યારે એક્સપર્ટે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વિજયનગર અથવા ચાલુક્ય સામ્રાજ્યના સમયની હોઈ શકે છે. એટલે કે દાગીના 500થી 600 વર્ષ જૂના છે. એન્ટિક હોવાના કારણે તેની કિંમત બજાર ભાવથી દસ ગણી વધારે છે, જે લગભગ 8 કરોડ છે.

પરિવાર હવે પાંચમો ભાગ માગી રહ્યો છે

જ્યારે દાગીનાની અસલી કિંમત સામે આવી તો તેમણે પોતાનું માથું પકડી લીધું. જોકે તેમને આશા હતી કે સરકાર નિયમ અનુસાર, તેમાંથી પાંચમો ભાગ તેમને જરૂર આપશે, પણ હજુ સુધી આવું બન્યું નથી. હવે પ્રજ્વલની દાદીએ સરકાર પાસે માગ કરી છે કે તેમના પૌત્રનો હક ફટાફટ મળે.

નિયમ અનુસાર, તેના પર તેમનો હક છે. પ્રજ્વલની દાદી કસ્તૂરબાની માતા ગિરિજમ્માએ મીડિયાને જણાવ્યું કે અમારા પૌત્રએ ખૂબ જ ઈમાનદારી દેખાડી અને જમીનમાંથી મળેલો ખજાનો સરકારને સોંપી દીધો. હવે સરકારે પણ ઈમાનદારી દેખાડવી જોઈએ. કાયદાના હિસાબથી 8 કરોડની કિંમતનો પાંચમો ભાગ 1.6 કરોડ રૂપિયા પર તેમનો હક છે. પરિવારનું કહેવું છે કે તે ખાલી સોનાના વજનના હિસાબથી પૈસા નહીં લે, જે ઐતિહાસિક કિંમત નક્કી થઈ છે, તે હિસાબથી મળવા જોઈએ.

સરકારે અત્યાર સુધી શું કર્યું?

પ્રજ્વલની ઈમાનદારીના કારણે સ્થાનિક લોકો પણ પરિવારના સમર્થનમાં ઉતરી આવ્યા છે. આ બાજુ મંત્રી એચ. કે. પાટિલ અને લક્કુંડી વિકાસ પ્રાધિકરણના સભ્ય સિદ્ધુ પાટિલે પરિવારને વિશ્વાસ અપાવ્યો છે, જે ફટાફટ આ મામલામાં કંઈક થશે. મંત્રીના વાયદા અનુસાર, સરકારે પરિવારને ઘર બનાવવા માટે જમીન પહેલાં જ આપી દીધી છે, જોકે હજુ સુધી એ નક્કી નથી થયું કે સરકાર નિયમોનું પાલન કરતા પરિવારને 1.6 કરોડ રૂપિયાનું વળતર આપશે કે નહીં.

ખજાનામાં શું શું મળ્યું?

પ્રજ્વલ રિટ્ટીને પોતાના જૂના ઘરના પાયા ખોદતી વખતે જે ખજાનો મળ્યો, તેમાં કૂલ 22 દાગીના હતા. તેમાં સોનાની બંગડી, હાર, નાના મણકા અને પ્રાચીન દાગીના હતા. તેનું કૂલ વજન 466 ગ્રામ હતું. પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાતો અનુસાર, દાગીનાનું ઝીણપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, તેના ઐતિહાસિક મહત્ત્વના કારણે તેની કિંમત લગભગ 8 કરોડ સુધી હોઈ શકે છે. કેમ કે આ સામાન્ય સોનું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *