લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા આખુંય કાવતરું રચી લગ્ન કરવા જંગલમાં બોલાવવામાં આવ્યા અને લગ્નવિધિ પત્યા બાદ વિદાય વેળાએ, ‘માતાજીના દર્શન કરીને જ્યોતિને લઈ જજો’ તેમ કહી આરોપીઓએ જ્યોતિને ઈકો ગાડીમાં બેસાડી હતી. રીંકેશકુમારના પરિવારે ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી રફુચક્કર થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. આખરે, યુવાનને છેતરપિંડીનો અહેસાસ થતા રીંકેશકુમારે જ્યોતિબેન, રાકેશભાઈ, જયરાજસિંહ અને અન્ય સાગરિતો વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

