જૂનાગઢમાં મહાશિવરાત્રીના મીની કુંભનો આજે ત્રીજો દિવસ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને ઉમટી રહ્યા છે. ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહને બિલિપત્રથી શણગારવામાં આવ્યું. જેના હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિર પરિસરમાં પણ સાધુ સંતો દ્વારા વિશેષ ભજન કીર્તનનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે મહાશિવરાત્રિ સુધી ચાલનાર આ પાવન મેળામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ભાવિકોએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા છે. તો દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જૂનાગઢ પહોંચી રહ્યા છે. ત્યારે ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Source link
